SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અને દેહના અણુને તેવા પુદ્ગલોથી ભરી દે છે, એટલે જગતના વ્યવહારમાં જીવ તેવા કષાયજન્ય વ્યવહાર કરીને વધુ તીવ્ર કર્મબંધન કરતો જાય છે. તેના આચાર વિચાર સો તેવા ક્ષાયજન્ય પ્રકૃતિમાં પરિણમે છે. જીવન અંધકારમાં અટવાઈ જાય છે. ક્રોધાદિ પ્રકૃતિની અસરમાં ઈદ્રિયો અને મન ટેવાઈ જાય છે. તે પછી તેનો સંયમ કરવો કે પરિવર્તન કરવું ખૂબ મુશ્કેલ થઈ પડે છે. છતાં સમ્યક સમજ સાથે તપ-ત્યાગ, વૈરાગ્યની આરાધનાથી ક્રોધાદિના રસોને શુદ્ધ કરી શકાય છે. છતાં તેની અસર લાંબો વખત રહે છે. ઉગ્ર પરિશ્રમ જ તેને મોળાં પાડી શકે. આત્મગુણને ઘાત કરનારા આવા ઉગ્ર વિકારો આત્માને સ્વભાવથી વિમુખ કરી દે છે. ઢંકાયેલા સ્વરૂપને પ્રગટ કરવા જ્ઞાનીના આશ્રયે સાધના કરવી જરૂરી છે. ત્યારે મુમુક્ષતાની સાચી દિશા મળે છે. આત્માની અનંત શક્તિ છતાં જીવે ઈદ્રિયવિષયોનું અને કષાયોનું સેવન કરી તેમાં રસમય થઈ તાદાભ્યપણું કર્યું છે તેથી આત્મશક્તિને આવરણ આવી ગયું છે. અને આત્મસ્વભાવ પ્રગટ થતો નથી. સ્વરૂપપ્રાપ્તિ થવા આ કર્મની પ્રકૃતિને દૂર કરવાની છે. અજ્ઞાનદશાને ટાળવાની છે. જડ ચેતન દ્રવ્યોની ભિન્નતાને ન સમજે તો પરિણતિ પરિવર્તિત થતી નથી. આજે તો વિજ્ઞાન પદાર્થના ગુણધર્મને પુરવાર કરી તેના પરિવર્તનો સિદ્ધ કરી બતાવે છે. અનાદિકાળથી જ્ઞાની પુરુષોએ બંને દ્રવ્યને જેવા છે તેવા જોઈને તેનું કથન કર્યું છે. આપણી પાસે વિચારશક્તિનું બળ નથી. અશુદ્ધતા, અજ્ઞાનતા ઠાંસીને ભરી છે. એટલે લૌકિક મતે દોરવાઈ જઈએ છીએ. તેથી ભવિ જીવને માટે જ્ઞાનનો યોગ અને ઉત્તમક્ષેત્રની મહત્તા બતાવી છે. તેવા યોગમાં પ્રગટેલી સાત્ત્વિકતાને રક્ષણ મળે છે. તપશ્ચર્યાદિથી પ્રથમ વિકારો શાંત થાય તે પછી શાંતિનું સામર્થ્ય વધે છે. દગ્ધ થયેલાં વિકાર બીજો વારંવાર ઉપયોગને કારણે નષ્ટ થશે. બાહ્ય તપ સાથે અંતરતા હશે તો સાધ્ય શુદ્ધ રહેશે. રોગની પીડાથી સમજાય છે કે દર્દ ક્યાં છે ? તેમ ક્રોધાદિ વૃત્તિને નિહાળતાં તેની પરિણતિ સમજાય છે. પરંતુ નામધારી પુદ્ગલ તરફ ભાવ હોવાથી માનાદિ વૃત્તિઓ પોષાતી જાય છે. એવી વૃત્તિઓને સમજવા માટે જ્ઞાનીઓએ શાસ્ત્રોની રચના કરી પરોપકાર કર્યો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને સમજીને સ્વરૂપ અવલોકન Jain Education International ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy