SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણીવાર જીવ માને છે કે પોતે ધર્મ કરે છે. પરંતુ તે ધર્મ અનુષ્ઠાનોથી જીવનમાં શું અસર થઈ તે જાણે નહિ તો અધકચરું જ્ઞાન સાધન શુદ્ધિ ન કરી શકે. ધર્મસાધનથી વિભાવ દૂર થવો જોઈએ. ધર્મસાધન કરવા છતાં કર્મવ્યાપાર હળવો ન થાય તો વિચારો, ફરી ફરી ને વિચારો. નહિ તો નિર્જરાનું કાર્ય આશ્રવ સંભાળી લેશે અને ધર્મ કરવા છતાં અનર્થ થશે, કારણકે શુભભાવ એ શુભાશ્રવ છે. તે પણ છોડવાના છે. મુમુક્ષુતા : ધર્મક્ષેત્રે દરેકને મુમુક્ષુ કહેવરાવવું રુચે છે. પણ મુમુક્ષુતા ગ્રહણ કરવી અઘરી લાગે છે. અનંત ભવથી મિથ્યાત્વ સેવ્યું છે. હવે મુમુક્ષુતા જીવવી છે, તેને માટે મહા પુરુષાર્થ જોઈએ. દેવગુરુ પ્રત્યે અહોભાવથી કંઈ થોડું આરાધન કર્યું પણ ત્યાં સંતોષ માની અટકી ન જવું. શરીરમાં રોગ કે દુઃખની પીડા વર્તાય છે તેને દૂર કરવા કેવો પ્રયત્ન કરીએ છીએ ? આ ભવરોગ મટાડવા કેવો પ્રયત્ન કરશું ? તેને લાયક સત્તાધન આદરવું પડશે. એક આત્મભાવના જ દેઢ કરો અને જીવન પર્યંત તેને વળગી રહો. જડવાદના ભ્રમમાં આત્માને જડ માની લીધો છે, આત્માના શુદ્ધ બુદ્ધ ચૈતન્યધનની પ્રતીતિ થવી જોઈએ. બોધબીજ પ્રાપ્ત થાય તો જ્ઞાન સમકિતરૂપે પરિણમે. કર્મનો છેદ ઉડાડવા શુદ્ધિ જોઈએ. સ્વર્ગાદિફળની આશા કરે તો તેવું ફળ મળે. તેનો પણ છેદ કરવો પડશે. ચક્રવર્તી જેવા પણ સંયમી હોય તો જ મુક્ત થાય નહિ તો નરકગામી જ થાય. બાહ્યસંયમમાં મુક્તિ મેળવવાનું સામર્થ્ય નથી. જ્ઞાનીનો માર્ગ અંતર પરિણામી થાય તો મુક્તિ સાધી શકાય. કેવળ આત્મનિંદામાં ન પડો પણ આત્માની શક્તિ પ્રગટે તેવો પુરુષાર્થ કરો. વિચારથી વિચારશુદ્ધિ થાય. ક્રિયાથી ક્રિયા શુદ્ધિ થાય. પ્રમાદથી કર્મબંધ થાય. અને કર્મનું પુનરાવર્તન પરિભ્રમણનું કારણ બન્યું છે. માટે હવે સ્વબળ, સ્વપુરુષાર્થ કરી યોગી બનો, તે પછી ક્ષેત્રાદિનો ભય નથી રહેતો. મરચાંનું નાનું સરખું બી જમીનમાંથી પોતાને અનુકૂળ પુદ્ગલો ગ્રહણ કરી કેવું તીખું બને છે ? લીમડાનું એક નાનું સરખું બી જમીનમાં પોતાને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી કેવું મોટું વૃક્ષ બને છે ? અને આખાયે વૃક્ષના થડ પાંદડાં ફળ દરેકમાં કડવાશ કેવી વ્યાપ્ત બની જાય છે ? તેમ અનંતાનુબંધી કે અપ્રત્યાખાની ક્રોધાદિ વિકારને જીવ ગ્રહણ કરી લે છે ૪૪ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy