SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ. અપૂર્વતા લાવવી જોઈએ. ત્યાં દૈહિક શક્તિ કામ લાગતી નથી. ચક્રવર્તીની દાસીમાં હીરાને ચપટીમાં મસળીને પાવડર બનાવવાની શક્તિ હોય છે. આવા ચક્રવર્તીનું પણ કર્મ આગળ શું ચાલે ? જગતમાં મારા તારાના ભાવમાં જીવન પૂરું થઈ જાય છે. એ મોહરૂપ શત્રુને જ્ઞાનના શિક્ષણથી જાણી શકાય છે. અભ્યાસથી સાધનામાં અનુભવ થાય છે. આત્માની સ્વતંત્રતા જ્ઞાનીઓએ દર્શાવી છે. તેનાં સાધન બતાવ્યાં છે. જ્ઞાનાદિ સત્તાધન મૂકીને જગતના જૂઠા સાધનમાં આનંદ ન આવે ત્યારે વિકાસ થાય. ક્રોધાદિ કષાયોથી જીવ વારંવાર ઘાત પામ્યો છે. દરેક ક્રિયા સાથે ઉપયોગ રાખી જીવનને સરળ બનાવવું. યોગ્ય ગુરુ મળે પોતાના દોષો પ્રગટ કરવા તેનું પ્રાયશ્ચિત કરવું. એની એજ ભ્રાંતિ ને ભૂલો વારંવાર ન થાય તેની જાગૃતિ કેળવવી. સમકિતીની ક્રિયા સમાં પરિણમે છે છતાં ક્ષાયિક સમ્યકત્વ ન પ્રગટે ત્યાં સુધી સતત ઉપયોગમય જીવન જીવવું પડે. માણસ ધનના જોરે મુસાફરી કરી લાંબાં દેશાટન કરે છે. પણ નજીક્ની પોતાની અંતરયાત્રા કરવી મુશ્કેલ થઈ પડી છે. પોતે સવારથી સાંજ શું કરી રહ્યો છે તેનું શું ફળ આવશે તેની તેને ખબર નથી. સંસાર છોડીને સાધુ થયા પછી સાધુદશામાં શું ઉપાધિ હોય ? આ કાળમાં ત્યાંય ખટપટ વધી છે. જૈનશાસન એ કારણે નબળું પડતું જાય છે. આજ શાસનમાં અષાઢાભૂતિ જેવા નટો મુક્તિને પામ્યા છે. ઉદય બંધનનો ખેદ નથી કરવાનો, તેને સમજો, વિચારો અને મુક્ત થાવ. અધ્યાત્મયોગ શીખવાડયો શીખાતો નથી, અનુભવથી સમજાય છે. જ્ઞાનીઓએ તેનો માર્ગ મોકળો કર્યો છે, તે માર્ગની ઉપેક્ષા કરવાથી માર્ગ સરળ બનતો નથી. શુદ્ધ સાધન દ્વારા તે સાધ્ય કરી શકાય. પાપના પુદ્ગલ પરમાણુઓ ભારે હોય છે તેનું ગ્રહણ થયા પછી જલ્દીથી છૂટા પડતા નથી. પુણ્યના પુદ્ગલ પરમાણુઓ હળવા હોય છે. તે જલ્દી છૂટા થઈ શકે છે. એટલે પુણ્યશાળી જીવ સંસારથી જલ્દી મુક્ત થઈ શકે છે. જેમ સુગંધ અને દુર્ગંધ સાથે પ્રસરશે તો દુર્ગંધની તીવ્રતા વધુ સમય રહેશે. સુગંધની તીવ્રતા રહેશે પણ જલ્દી ઓસરી જશે. જગતની આવી વિષમ પરિસ્થિતિમાં ઉપયોગ રાખે તો જ ધર્મ પ્રાપ્ત થાય. જેમ જેમ જીવનની શુદ્ધતા થાય તેમ તેમ તેનું રક્ષણ પણ કરવું પડશે. કારણકે સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૪૩ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy