SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પુલોના પ્રકારને સમજવામાં આવે તો કષાયો વધે ઘટે તેનો જીવને ખ્યાલ આવે. જીવ કર્મને ગ્રહણ કરે છે ત્યારે મન અને શરીરની પ્રવૃત્તિ તે તરફ થાય છે. હાસ્ય, અરતિ, રતિ, ભય વગેરેથી તે જણાય છે. કર્મ જેમ ઉદયમાં આવે છે તેમ તેનું એક નાટક ચાલે છે. જ્ઞાનના સ્વાશ્રયથી તેને દૂર કરી શકાય છે. શરીર મનનો આ અંતરવ્યાપાર જાણીએ તો પ્રકૃતિનું શોધન થઈ શકે. જેવું સુખ જોઈએ તેવા પ્રયત્ન કરવા. સમકિતીને સંસાર સુખના પ્રયત્નો રુચતા નથી તે સ્વરૂપ સુખ ઈચ્છે છે. જે કર્મ ઉદયમાં આવે તેના વિકારને પોષી તેને વશ થવું તે ઠીક નથી. આત્મા સતત ઉપયોગમાં રહેવા પ્રયત્ન કરે તેટલો વખત કર્મ ફળ આપવામાં નિષ્ફળ જાય છે. અને જો ઉપયોગ ન રહ્યો તો નવાં કર્મો ચઢી બેસે છે. અનંતાનુબંધની ચોકડીમાંથી દૂર રહેતાં શીખો. અંતરનો પુરુષાર્થ હોય તો બાહ્યસંયોગો અનુકૂળ બને છે. પોતાની અંતરવૃત્તિઓને સમજે તો તેમાં સુધારણા થઈ શકે. પ્રયત્નનો થાક લાગે તોય પુરુષાર્થમાં રહેવું. તે માટે કષ્ટ વેઠવું. તપાદિ સમજપૂર્વક કરવાં ઉપવાસાદિ કરીને આહાર તરફનો રસ મંદ પડવો જોઈએ આહારગ્રહણ કરતાં સંયમ રાખવો જોઈએ. આપણામાં હાલ મતિ અને શ્રુતજ્ઞાન વર્તે છે. તે શુદ્ધ હોવા જોઈએ. તે શુદ્ધ થવાથી ઈદ્રિયાદિના વિષયોનો રસ ઓછો થશે. મિથ્યાત્વદશાનું શોધન ન થાય ત્યા સુધી સત્યની સમજ કે શ્રદ્ધા વગર કોનું શોધન કરવું? વ્યવહાર ચલાવવા જેમ વ્યવહારને અનુકૂળ કેળવણી આપવામાં આવે છે. તેમ આત્મતત્ત્વ પામવા તત્ત્વજ્ઞાનની કેળવણીની જરૂર છે. જ્ઞાનની આરાધના અને ઉપયોગ દ્વારા જ્ઞાનાવરણ કર્મ ઓછું થાય છે. ઉપયોગમય એક કલાક ગાળવાથી ઘણાં કર્મોને રોકી શકાય છે છતાં તેવીસ કલાક કર્મોની ગ્રહણ થવાની ક્રિયા કરીએ તો આ એક કલાક કંઈ ગણતરીમાં ન આવે. સંસારની ક્રિયામાંથી નિવૃત્ત થઈ પંચવિધ સ્વાધ્યાય કરવો. વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, નિદિધ્યાસન આદિ પંચવિધ પ્રકારો છે. માત્ર જૈનકુળમાં જન્મેલો જેન નથી. જૈન એટલે જગતથી વિરકત, જેનું ચિત્ત શાંત અને સ્થિર છે તે જૈન છે. ચોરાશી લાખ યોનિ ફર્યા પછી આ ઉત્તમ દેહ મળ્યો છે. કર્મની પરંપરામાં ઘેરાઈ ગયો તો ફરીને આ દેહ નહિ મળે. કર્મ ઉદયમાં આવતાં પહેલાં શાંતિ અને સમતા કેળવવાં ૪૨ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy