SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ થયા છતાં પૂર્વના કર્મ ઉદયને ટાળી શકાતા નથી, ભોગવટામાં સમતાભાવ રહે તો ભાવિ કર્મબંધન અલ્પરસવાળા બંધાય છે. શ્રેણિક મહારાજાએ યુદ્ધાદિમાં ઘોર હિંસા કરી તેમાં રસની પ્રબળતાને કારણે પહેલી નરક-ગતિનું આયુષ્ય બાંધી લીધું. મહાવીર પ્રભુનો સાક્ષાત યોગ થતાં ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પણ કર્મ પ્રબળ હોવાથી અને આયુષ્ય બંધ થયો હોવાથી ગતિ નિવારી ન શકાઈ. અજ્ઞાનાવસ્થામાં બાંધેલું કર્મ જ્ઞાનીને પણ ઉદયમાં આવે છે. તે ટાળી શકાતું નથી. છતાં સમકિતીની જાગૃત દશા હોવાને કારણે નરકનું આયુષ્ય પણ સમભાવપૂર્વક પૂર્ણ કરે છે. - પરિવર્તન જરૂરી છે. કે ધાર્મિક ક્રિયામાં રૂઢતાને કારણે જીવ કર્તવ્ય કરે છે પરંતુ પરિવર્તન જણાતું નથી. વિભાવમાંથી સ્વભાવ તરફ જવામાં જીવની દિશા બદલવાની છે. આ પુદ્ગલ ચેતનની મદદથી જ ચાલે છે. તે સિવાય તો શબ છે. પુદ્ગલને નિભાવવા પુદ્ગલો ગ્રહણ કરવાં પડે છે. માટે જીવનમાં જરૂરિયાત ઓછી કરવી. અને પુગલના સંબંધોથી કેમ છૂટાય તેનો જ વિચાર કરવો. પોતે શું કરી રહ્યો છે તેની સતત જાગૃતિ રાખવી. રૂઢતાને કારણે ધર્મમાં આશાતનાનો ભય પણ હોય છે. આ શરીરનું અણુએ અણુ મલમૂત્રથી ભરેલું છે. ધર્મક્રિયામાં પવિત્રતા જાળવવા ધૂપ દીપાદિથી વાતાવરણને શુદ્ધ કરી પોતાના સ્વાધ્યાયાદિ નિયમોને જાળવવા, પણ પ્રમાદ ન સેવવો. રાજુલ અને નેમનાથના નવ ભવના સંબંધોમાં ક્રમે ક્રમે સંયમ તરફ પ્રયાણ હતું. એ સંબંધ એટલો સંયમમય હતો કે નવમા ભવે પ્રાણીઓના પોકારનું નિમિત્ત મળતાં પોતાના ધ્યેયને પકડી લીધું. અને બંને શિવપદને વર્યા. આજે લગ્નજીવનમાં સંયમને સ્થાન નથી રહ્યું. એક બીજાના સહારે ધર્મભાવના કેળવવાનું અંતર પડી ગયું છે એટલે જીવન પશુવતું બનતું જાય છે. બીજાના નિમિત્તનું બહાનું કાઢી સ્વબચાવ કરવો તે મોહ છે પોતાની ઈદ્રિયો વશ ન કરી શકે તે વ્યામોહ છે. ઈદ્રિયોને વશ કરવાને બદલે પોતે તેનાથી જિતાઈ ગયો છે. શરીરમાં પ્રવેશેલા કર્મ પુદ્ગલો જેમ જેમ પરિવર્તન પામે છે તેમ તેમ તેની અસર થાય છે. આત્મા તેને અનુભવે છે. સૂક્ષ્મ પરમાણુ ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. પણ તેની અસરથી વાણી વગેરે બદલાય છે. આ કર્મ સ્વરૂપ અવલોકન ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy