SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે તેમને નવો બંધ થતો નથી અને પૂર્વ બંધ ખપી જાય છે. પછી આત્મા ઉત્તરોત્તર જ્ઞાનાદિ ગુણે યુક્ત થાય છે. ગમે તેટલા રાજભોગાદિ હોવા છતાં જ્ઞાની પરભાવથી નિઃસહાય બની એકલા જ ચાલી નીકળે છે ત્યારે જ આત્મબળ પ્રગટે છે તે મુનિપણું છે, ત્યાં કૈવલ્યની શરૂઆત છે. અને પૂર્ણતા પણ પામે છે. મનુષ્યનો જન્મ ફકત શરીરની લેણદેણ પૂરી કરવા નથી. તે તો પૂર્વ પ્રારબ્ધ છે. જયાં વિલાસ છે ત્યાં વિકાસ નથી. કેવળ બાહ્ય સાધનથીજ ધર્મ થતો હોત, જ્ઞાન પ્રગટ થતું હોત તો મહાવીર પ્રભુએ એક વરસ અઢળક દાન કર્યું ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટ થાત. સમકિતી જીવ સિવાયને તો એવા સાધન પરિભ્રમણના કારણભૂત છે. અજ્ઞાનવશ કર્મબંધન દૂર થઈ શકતાં નથી. ક્રિયાનો નિષેધ નથી પણ યથા સ્વરૂપે, જ્ઞાનીની આજ્ઞાએ કે શાસ્ત્રાનુસારી જો ક્રિયા કરવામાં આવે તો સત્ શ્રદ્ધા બળવાન થાય. જીવ સ્વતંત્ર છે તેમ કર્મ પુદ્ગલો સ્વતંત્ર છે. જીવની પરિણતિ બહારના દ્રવ્ય સાથે રાગાદિથી જોડાય ત્યારે તે સંબંધમાં આવે છે. જીવ વારંવાર દોષને જોતો જાય, દોષને ટાળતો જાય તો બંધ મંદ પડે. જીવ પોતાની પ્રકૃતિને જાણે, તેના વિષયોને સમજે. ઈદ્રિયોના ગુણધર્મને સમજે તો બંધન સમયે પણ સ્વતંત્ર રહી શકે. સમકિતિ જેમ બંધને સમતાભાવે વેદે છે તે સ્વાધીનતા છે. બંધનો સમય ખૂબજ સંભાળવા જેવો છે. અને બંધ તો સમયે સમયે થાય છે. માટે પ્રભુએ પ્રકાશ્ય છે કે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. તેમાંય સમુદાયભાવે કર્મબંધ થાય છે ત્યારે તો ખૂબ જ સંભાળવા જેવું છે. સમુદાયમાં જીવ ગતાનુગતિક જોડાય છે ત્યાં ઉપયોગની મંદતા છે. ઉત્કટ વાતાવરણમાં આંદોલનો કે હિંસા જેવી ક્રિયામાં જીવ પણ ઉત્સાહમાં આવીને જોડાય છે અને ભારે કર્મને બાંધે છે. જો તે સમયે વિવેક કે મધ્યસ્થભાવ રહે તો રસબંધ મંદ પડે છે. શાસ્ત્રમાં જીવોની દશા ત્રણ પ્રકારે કહી છે. ભવ્ય, અભવ્ય અને દુર્ભવ્ય. ભવ્ય જીવને યોગ મળતાં કાર્ય સાધી સ્વરૂપદશાને પામે છે. અભવ્ય જીવ અનંતકાળ ભમે છે. ભમ્યા જ કરશે. સ્વરૂપ સિદ્ધિને પામવા તે જીવ યોગ્ય નીવડતો નથી. દુર્ભવ્ય જીવની દશા તો બુરી છે છતાં પણ અનેક પરિભ્રમણ કરીને ચઢ ઉતર કરતાં કરતાં કોઈ કાળે જ્ઞાનનો યોગ સ્વરૂપ અવલોકન ४८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy