SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તો કર્મ ચીકણાં બને છે, તે ભોગવવામાં ઘણો કાળ વહી જાય છે. કર્મબંધથી છૂટવા માટે જે ક્રિયા સાધો તેનાં સાધનોની શુદ્ધિ આવશ્યક છે. દર્શન શુદ્ધ હશે તો જ્ઞાનશુદ્ધ રહેશે. તે ચારિત્રની શુદ્ધિને ખેંચી લાવશે. બાહ્યાચારની શુદ્ધિ પણ જોઈએ. તેથી સદાચારને મહત્ત્વ અપાયું. સમકિતી જીવના વાણી વર્તન અને વ્યવહારમાં પરિવર્તન આવે જ. ત્રણે યોગની શુદ્ધિનાં દર્શન થાય. તેને પરપદાર્થમાં સુખની ભ્રાંતિ થતી નથી. દુન્યવી વ્યવહારમાં પૂરેપૂરી સભાનતાથી જીવે છે અને વ્યવહાર ચલાવે છે. કર્મબંધન ચાર પ્રકારે છે. પ્રકૃતિ, સ્થિતિ અને પ્રદેશ ત્રણે રસને કારણે જીવ સાથે રહી શકે છે. અનંતાનંત પરમાણુઓ જે જે પ્રકૃતિના હોય તે ભેગા થાય ત્યારે પ્રદેશબંધ થાય છે. ક્રોધ જેવી પ્રકૃતિને વ્યક્ત થવામાં અનંતાનંત પરમાણુ મળી સ્કંધ થાય ત્યારે આત્મ પ્રદેશો સાથે ભળે છે. તેમાં જે સમય જાય છે તે તેની સ્થિતિ છે. અને જેટલું રસનું બંધન તીવ્ર તેટલો ઉશ્કેરાટ વધુ હોય છે. જાગૃતિ જ આવી પ્રકૃતિને શાંત કરી શકે છે. અસંયમી જીવ તો બંધના રસમાં પૂર્તિ કરે છે. રસને તોડી શકતો નથી. જ્ઞાન દ્વારા ઉદયમાં આવતાં કર્મોને દૂર કરી શકાય છે ક્ષણે ક્ષણે બદ્ધ થવાની ટેવને કારણે પરિસ્થિતિ નિવારી શકાતી નથી. દર્શન જ્ઞાનમય ઉપયોગથી બંધને ટાળી અને સુધારી શકાય. રસબંધથી મનને થોડું સુખચેન મળે, ગુમાવવાનું ઘણું છે. સમકિતિના ભાવો જ્ઞાનમય હોય છે તેથી બંધ મંદ પડે છે, પ્રાયઃ શુભ પડે છે. મન વચન ને શરીરની ટેવો અને ક્રિયાઓને બદલવી પડે છે. બાહ્ય સુખની કલ્પના માત્ર બંધન છે. અંતરની સમજ વગર દુન્યવી વ્યવહાર કેમ સુધરશે? ધર્મની ભાવનામાં મોહને સ્થાન ન હોય, મોહજનિત વૃત્તિઓ સને બદલે અસહુને ગ્રહણ કરે છે. જ્ઞાનીના પરિચય વગર સતુ-અસત્વનો નિર્ણય થવો કઠણ છે. જ્ઞાનીના ગુણના વિચાર માત્રથી, સેવનથી જ્ઞાનીના સ્વરૂપમાં વૃત્તિ તદાકાર થવાથી જીવની વૃત્તિઓ શાંત થાય છે. કર્મના ભેદ : કર્મબંધ ચાર પ્રકારે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. મૂળ પ્રકૃતિ આઠ પ્રકારે જ્ઞાનાવરણ, દર્શનાવરણીય ઈત્યાદિ છે. એક એક જીવ સાથે અનંત પ્રકારનાં કર્મો જોડાયેલાં છે. કર્મો અનંત પ્રકારનાં છે. જીવની વૃત્તિઓને, વેશ્યાઓને લીધે ગ્રહણ થયેલા કર્મપુદ્ગલોનો સ્વરૂપ અવલોકન ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy