SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિસ્ફોટ થઈ શકે છે તે આજે વિજ્ઞાને પુરવાર કર્યું છે. તો અશુદ્ધ અણુઓનું ગ્રહણ આત્મપ્રદેશને કેટલું નુકસાન પહોંચાડી શકે તે વિચારવું. માટે જૈન શાસ્ત્રમાં આહાર વિષયક ખૂબ ઝીણવટ જોવામાં આવે છે. કોના હાથનું જમવું, પદાર્થોનું કેવું મિશ્રણ કરવું, કેટલી માત્રામાં આહાર લેવો, કયારે લેવો, કેવી રીતે પકવવો વગેરેની ઉપયોગિતા સમજાવી છે. આહારની ચિત્ત પર અસર પડે છે. દુર્ગુણીની અસરથી સદ્ગણી જાગ્રત ન રહે તો દુર્ગણોને નોતરી લે છે. પણ દુર્ગુણી પોતાની પ્રકૃતિથી એવો ગ્રસિત થયો હોય છે કે સદ્ગુણીની સોબતે પણ ગુણો કેળવી શકતો નથી. આહારમાંથી માંસ, મજ્જા, વિચારો બંધાય છે માટે સાધકને બહારનું અને અન્ય ઘરનું ભોજન ત્યાજ્ય ગયું છે. આહારથી ઉપજતી વિકૃતિ મનુષ્યના શરીરમાં વધુમાં વધુ થાય છે. એકેન્દ્રિય જીવમાં ફકત સંજ્ઞાબળ હોવાથી વિકૃતિ અને વિકાસની મર્યાદા છે. મનુષ્યમાં ત્રણ યોગનું બળ હોવાથી આહારની અસર શરીર, મન, બુદ્ધિ, વિચાર અને આચાર સર્વત્ર પડે છે. ઈદ્રિયોને વશ કરી છે એવા યોગી સંયમીને તીવ્ર રસયુક્ત આહાર કદાચ પોષણ આપે તો પણ સંયમ ટકાવવો સહેલો નથી. તેને મન કાંજી અને ખીર લેવામાં અને પચાવવામાં સમાન છે. કારણ કે ઈદ્રિયોના રસો બળીને શુષ્ક થયા છે. ક્રોધી તપશ્ચર્યા કરી અન્ય રસોને શુષ્ક કરે તો પણ સમજદાર કે વિચારવાન ન હોય તો ક્રોધનો આવેશ શમતો નથી. તેના આહારાદિ તેની ક્રોધવૃત્તિને ઉત્તેજિત કરે છે. જ્ઞાનીના યોગે તેને પોતાની આ ક્રોધવૃત્તિનું દર્શન થાય તો તેમાં મંદતા આવે. કર્મવિવશતા : જયાં સુધી મનના વિકારોનો નિરોધ થતો નથી ત્યાં સુધી આચાર શુદ્ધિ શકય નથી. આંતર અને બાહ્યવૃત્તિઓ આત્માની અનંત શકિતને આવરણ કરે છે. અને કર્મપ્રકૃતિ બળવત્તર બને છે. આ કર્મની મુખ્ય પ્રકૃતિ આઠ પ્રકારે છે. કર્મો તો અનંત પ્રકારનાં છે. ઈદ્રિયજન્ય વિષયોની અનંત વાસના, તેમાં સેવાતો રસ, કર્મની પ્રકૃત્તિને તીવ્રતામંદતા આપે છે. મનનો વેગ ભયંકર હોય તો કર્મ કઠિન બંધાય છે. અને મનનો વેગ સૌમ્ય હોય તો પ્રકૃતિ કેવળ પ્રદેશબંધ કરે છે. તેથી તે કર્મ હળવું હોવાથી ઓછા પ્રયત્ન નિવારી શકાય છે. પણ રસ-વેગ વધુ હોય ૩૮ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy