SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસ્ત્રમાં ભક્ષ્યાભઢ્યની વિવેચના ખૂબ સૂક્ષ્મ રીતે જોવા મળે છે. આહારમાં સોનું સપ્રમાણ ન હોય અને કેવળ સ્વાદ મુખ્ય બની જાય તો તે રસો રોગ અને મૃત્યુને નોતરે છે, દેહધર્મને ટકાવવા સ્થૂલ કે સૂક્ષ્મ હિંસા અનિવાર્ય પણે બને છે છતાં ઓછામાં ઓછી હિંસાથી કેમ જીવાય, તેનો ઉપયોગ રાખવો. તેની તરફ બેદરકારી ન સેવવી. દરેક ઈદ્રિયના વિષયમાં રસાદિ ઓછા કરવા. આહારનું નાનામાં નાનું વ્રત ઉણોદરી છે. આ કાળે ઘણું સુલભ છે. પરંતુ પેટભરીને જમવા ટેવાયેલા હોવાથી ઉદર ઉણું રાખવું પણ મુશ્કેલ લાગે છે. દેહના ધારણ પોષણ માટે કેટલાય જીવોની હિંસા થાય છે. પૃથ્વી આદિ પાંચ ભૂત અને વનસ્પતિ આદિના ઉપયોગ એવી હિંસાથી આપણો નિર્વાહ થાય છે. આજે જૈનકુળમાં જન્મ ધારણ થવા છતાં કહેવાતા જૈનોમાં આ આચાર રહ્યા નથી. હિન્દુ આદિ અન્ય ધર્મની અસરથી આહારના નિયમોનો લય થતો જાય છે. અને ગૃહસ્થ આશ્રમ જેવી પ્રણાલિકાનો અણસમજભર્યો વિનિયોગ રે છે. ગૃહસ્થાશ્રમનો ઉપયોગ સંસારાશ્રમ રવા માંડયો છે. પોતે જ સંસારની લીલાનો નટ લઈ નાચવા અને રાચવા માંડયો છે. તીર્થકર આદિ પૂર્વ પ્રારબ્ધના યોગે ગૃહસ્થાવાસમાં રહ્યા. પણ તેઓ સંયોગોને વશ થઈને ન રહ્યા. ત્યાં પણ સંયમ જીવનનું લક્ષ હતું. તેથી તો તે જ ભવે સ્વસ્વરૂપને પામ્યા. આપણે તેવા જ આત્માઓ છીએ. ગૃહસ્થપણું કેટલો કાળ લંબાવવું છે? સાચો સમક્તિધારી જીવ સંયમ-નિયમથી અળગો ન રહે. પોતાની ભૂલોને સૂક્ષ્મ રીતે નિહાળે, પોતેજ પોતાથી અનુકંપા, સ્વદયા અનુભવે. શ્રાવકે આહારની શુદ્ધિનું ધ્યાન રાખવું જોઈએ. જેથી પોતાના સંગમાં આવતા સાધકો અશુદ્ધિથી બચે. અને સાધુ-સાધ્વી મહારાજોને અનુકૂળતા રહે. તેઓને શુદ્ધ આહાર ન મળે, ગમે તેવા આહારાદિનું સેવન કરે તો તેમને પણ વિકાર થવા સંભવ છે. સાધુજનોને અનુકૂળ આહારનો ગૃહસ્થ ઉપયોગ કરવાનું રાખે તો શ્રાવકાચાર સહેજે પાળી શકાય. આચાર અને વિચારનો વિવેક ભ્રાંતિને ટાળે છે. આચાર વિચારની શુદ્ધિ માટે આહારશુદ્ધિ પણ જરૂરી છે. ઘણા અણુઓ એકઠા થવાથી કેવો સ્વરૂપ અવલોકન ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy