SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્ય છે. એ ધર્મમાં સમભાવ છે. દુન્યવી ધર્મો જન્મ-મરણનો વિસામો આપી શકતા નથી. આત્મધર્મની જેને જિજ્ઞાસા જાગી છે તેને બાહ્યક્રિયાઓ આનંદ આપી શકતી નથી. મન અને ઈદ્રિયોને વશ કરવાથી ઘણાં કર્મો આવતાં અટકે છે નવાં કર્મોનું અટકવું તે યોગબળ છે સંવર છે. ક્ષયોપમિક ભાવ એટલે સત્તામાં રહેલા કર્મો દબાય, ઉદયમાં આવેલા નાશ પામે, તેવા જીવોને પણ ઉદય, બંધનો ભય છે. માટે કર્મના હર્તા બની તેને દૂર કરવું. તે માટે અંતરબાહ્ય શુદ્ધિની આરાધના કરવી. આહાર શુદ્ધિ : દરેક જીવ દુઃખથી કે કર્મથી છૂટવા અને સુખ મેળવવા ઈચ્છે છે. પણ સાચું સુખ કયાં છે તેનું ભાન નથી. કર્મની પ્રકૃતિને જાણે, જીવ તેમાં કયાં બંધાઈ રહ્યો છે તેને જાણે, અને છૂટવાનો પ્રયત્ન કરે તો બંધન ઢીલું થાય. અનાદિથી જીવે બહિર્મુખતા સેવી છે. તેથી પ્રથમ આહાર શુદ્ધિ દૃઢપણે કરવી. આહારશુદ્ધિ પણ મહત્ત્વનું અંગ છે. આહારમાંથી જ દેહ માંસ મજ્જા વિચારો અને વિકારોનું સર્જન થાય છે. આહાર શુદ્ધિની પરાકાષ્ઠા એ અનાહારક દશા છે. તેથી જૈનશાસનમાં આહારનું આવું સૂક્ષ્મ શાસ્ત્ર રચાયું. શુદ્ધ આહાર, ખાઘાખાદ્યનો વિવેક જ જીવને અનાહારક થવાની શક્તિ આપે છે. અને તેથી આહાર સાથે અહિંસાભાવને ખૂબ મહત્ત્વ અપાયું. દેહધારણ માટે આહાર જરૂરી છે, પણ ઓછામાં ઓછી હિંસા વડે જીવવું તેમ મહાત્માઓએ કહ્યું છે, અને કંદમૂળાદિનો ત્યાગ તેથી સૂચવ્યો. ખૂબજ ઉપયોગપૂર્વક જરૂરિયાત હોય તેવો આહાર લેવો તેમાંય સંયમને સ્થાન આપ્યું. આવી આહાર શુદ્ધિ દેહધર્મને લક્ષમાં રાખીને અધ્યાત્મ તરફ લઈ જાય છે. આ દેહ મોક્ષમાર્ગનું સાધન છે. પણ તે લક્ષ ગૌણ કરી આહારથી દેહનું પોષણ થયું તો શુદ્ધિ શકય નથી. દેહનો અણુએ અણુ શુદ્ધિ માંગી લે છે, તે પછી મનશુદ્ધિ અને ભાવશુદ્ધિ થાય છે. આહાર અને આત્માને કંઈ સંબંધ નથી તે ખોટી માન્યતા છે. આહારમાંથી નીપજેલા વિકારો અને વિચારો આત્મગુણના અવરોધો છે. કેટલા ખાદ્ય પદાર્થો શરીરમાં વ્યાધિ અને વિકારો ઉત્પન્ન કરે છે તે આપણે અનુભવ્યું છે. એ વિકારો કષાયોની પ્રબળતા વધારે છે, અને છેવટે કર્મપ્રકૃતિને દૃઢ કરે છે. માટે ૩૬ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy