SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય અને મન-વચન-કાયાના યોગ દ્વારા જીવ કર્મજન્ય પુદ્ગલદ્રવ્યને ગ્રહણ કરે છે તે કર્મ છે. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્ધાદિ વગેરેથી પુદ્ગલ બને છે. પુગલનો સૂક્ષ્માતિસૂક્ષ્મ રજ તે કમર છે, તેનું જ્ઞાન ઈન્દ્રિયાતીત છે. પરમ જ્ઞાનીજનો તેને જાણી શકે છે. જીવનો કર્મ સાથે અનાદિ અનંત અને અનાદિસાંત સંબંધ છે. - મિથ્યા સમજ, મિથ્યા મતિ, અવિરતિ વ્રત રહિતપણું પ્રમાદઅજ્ઞાનદશા, કામક્રોધાદિ જેવા કષાય, અને મન વચન કાયાના અશુદ્ધ યોગને કારણે જીવ કર્મ બાંધે છે. આ સર્વ પ્રમાદ વશ થાય છે માટે શ્રી મહાવીર ભગવાને સંદેશો આપ્યો છે કે સમય ગોયમ મા પમાએ' હે ગૌતમ ! એક સમયનો-ક્ષણનો પણ પ્રમાદ ન કર. નિરંતર આત્મરમણતા એ મુનિનો ધર્મ છે. ત્યાં પ્રમાદને સ્થાન નથી. અનાદિથી ઈદ્રિયાભિમુખ જીવવા ટેવાયેલું મન વૃત્તિઓને પાળવા કે પોષવા બુદ્ધિથી બાંધછોડ કરી દેતાદિના સંસ્કારોને દઢ કરતું જાય છે. ધર્મ આરાધનનો કોઈ નિશ્ચિત માર્ગ આરાધવાને બદલે સર્વધર્મ સરખા છે. એમ માની મુર્ખ શુદ્ધ સાધન સ્વીકારતો નથી અને જે પૂર્વનો સંસ્કાર મળ્યો છે તેમાં પ્રમાદ સેવે છે. મૂળ તત્ત્વ સર્વધર્મનું એકજ હોય પણ સત્યને સત્ય દર્શાવે તે ધર્મ સત્ય ગણાય. જૈનદર્શનના પ્રત્યેક અંગમાં (શાસ્ત્રમાં) જીવની ક્રમિક અને સ્વતંત્ર દશા બતાવી છે. જીવની સ્વાધીનતા મુક્તિ સુધી લઈ જાય છે, મુક્તિ પછી પાછો અવતાર નથી. આવા સુંદર અને સ્વાધીનમાર્ગને નિરીશ્વરવાદ કે કર્મવાદની ઉપમા આપી ધર્મની પડતી આણીએ છીએ. ખરેખર તો સમભાવ સધાય તો સર્વધર્મ સમભાવ સહજ છે. અજ્ઞાનદશામાં જીવની બંધનવૃત્તિ પ્રબળ હોય છે. પરંતુ તે કર્મોના ઉદયકાળ પહેલાં તેના વેગને મંદ કરવાની કળા જ્ઞાનીઓ દર્શાવી ગયા છે. જેથી આત્માના ગુણનો ઘાત ન થાય. ઉદયમાં આવતાં કર્મોને ટાળી શકાતાં નથી પણ સમભાવી પરિણામથી તેની ઉગ્રતા મંદ કરી શકાય છે તે યૌગિક ક્રિયા છે. દૈહિક યોગજીવનમાં મુખ્ય તત્વ ગૌણ બની જાય છે. ગમે તે ક્રિયામાં દેહાદિની મુખ્યતા છોડવાની છે. અહિંસા જ પરમ યોગ છે, ચિત્તસમાધિ પણ તે જ છે. તે દર્શન જ્ઞાન અને ચારિત્રના ગુણે કરી સ્વરૂપ અવલોકન ૩૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy