SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આ દેહથી નિરાલંબન સ્થિતિએ ન પહોંચાય તેથી નિરાશ ન થવું. કર્મોરૂપી જે સંસ્કારો બાંધ્યા છે, તે જન્માંતરમાં સાથે આવે છે. તેને તોડવા માટે પુરુષાર્થ કરવો પડશે. તેમાં સહાય મેળવવા વીરજિનને વંદન હો જીનવંદનમાં ભાવની પૂરી અર્પણતા હોય છે તે વિનય છે. તે મંગળકારી છે. કર્મોને બે પ્રકારે પણ જોઈ શકાય. પુષ્ય અને પાપરૂપે. જે ક્રિયા ધર્મરૂપ હોય પણ પુણ્યના ફળ આપનારી હોય તો તે મુક્તિને બાધક છે. અશુભ ક્રિયા પાપજનિત છે. શુદ્ધ લક્ષ હોય તો પુણ્યનો ક્ષય થઈ શકે છે. અને જીવ શુભાશુભ બંને ભાવથી ઉપર ઊઠે છે. વાસના એ ભાવકાયા છે. સુખની વાસના હશે ત્યાં સુધી આશ્રવ થશે. પુણ્યમાં સંતોષ માને તો તે બંધન છે. શુભ કે અશુભ બંને દ્રવ્ય અને ભાવથી છોડવાનાં છે. ધર્મક્રિયાનો નિષેધ નથી પરંતુ મુક્તિના લક્ષે ક્રિયા થાય તો નિર્જરા થાય. તે માટે સત્સમાગમ અને સત્શાસ્ત્રનું અવલંબન લેવું. જ્ઞાનની શુદ્ધ દશાના ઉપયોગથી કર્મમળ નાશ પામે છે. ચારિત્રથી જ્ઞાન દીપે છે. શ્રાવકે માર્ગાનુસારીપણાનું આરાધન શરૂ કરીને અશુદ્ધતાને ટાળવાની છે. જે નિશ્ચિત માર્ગે પ્રયાણ કરે છે તે લક્ષે પહોંચે છે. ઉજાગરદશામાં આત્મા અને દેહની ભિન્નતાનું જ્ઞાન છે ત્યાં દેહ હોય તોય બંધન નથી. આ જીવે પૂર્વે આત્મસાધન નથી કર્યું, તેથી અજ્ઞાનદશા પ્રવર્તે છે, માટે જીવે આ જન્મ આત્મલક્ષ કરવાનું છે. તે માટે સુવિચારણા અને આત્મિક બોધની જરૂર છે. માર્ગસ્થ થવા પરભાવની ઉપાધિથી મુક્ત થવાનું છે. જગતના જીવો ધનને લક્ષ્મી માની તેને મેળવવા કેટલાં દુઃખ સહે છે? લક્ષ્મીની કૃપા એ પૂર્વ પુણ્યનું ફળ છે તેનો સુયોગ હોય તો તે લક્ષ્મી કર્મબંધનું કારણ નથી થતી. પણ તેના સવ્યયની ભાવના રહે છે. અંતરંગ લક્ષ્મી એ પૂર્ણ અને અનંતજ્ઞાનાદિનું સામર્થ્ય છે, જે કેવળી ભગવંતોને હોય છે, અને બાહ્ય લક્ષ્મીનો યોગ તીર્થંકર દેવોને દિવ્યધ્વનિ ભામંડલ જેવા અતિશયોથી હોય છે. આ લક્ષ્મી કલ્યાણરૂપ છે સ્વપુરુષાર્થ વડે જેણે મોહાદિ ભયંકર શત્રુને જીતી લીધા છે તેવા જિનેશ્વરદેવોની તે દાસી બનીને ધન્યતા અનુભવે છે. એવી લમી સંસારી પાસે ચંચળ થઈને રહે છે. પૂર્વના પુણ્ય આવે છે. પુણ્ય પૂરું થતાં અદૃશ્ય થાય છે. કથંચિત પાપનું કારણ બને છે. સ્વરૂપ અવલોકન ૩૩ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy