SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જાગૃતિ ટળ્યા પછી અંતરંગ જાગૃતિ (ઉજાગરતા) જીવ પ્રાપ્ત કરે તો ધર્મ માર્ગ ગ્રહણ થાય છે. આ કાળમાં તદ્ભવ મોક્ષ સાધ્ય નથી પરંતુ મોક્ષના ધ્યેયથી સંસાર પ્રત્યે ઉદાસીનભાવે રહે તો અનંતકાળનું ભવભ્રમણ મર્યાદામા આવી જાય. મિથ્યાત્વાદિ તથા કષાયોની મંદતા થયે સમ્યગ્દર્શન પ્રગટ થતાં અર્ધપુદ્ગલ પરાવર્તન કાળની મર્યાદામાં આવે અને પુરુષાર્થની તીવ્રતા હોય, જ્ઞાનીનો યોગ હોય તો ત્રણ ભવે મોક્ષગામી થઈ શકે. આ કાળે જીવ પૂર્ણપણે યોગને સ્વાધીન ન કરી શકે તો પણ અતિ સંબંધોથી સંક્ષેપ કરવો. કષાયોને વધવાનું કારણ જગતના ગાઢા સંબંધો અને તેમાં થતાં રાગાદિ પરિણામો છે. મનને જીતવું, ક્ષણે ક્ષણે જાગૃત રહેવું તે સાધુજનોએ પણ દુષ્કર કહ્યું છે. આનંદધનજીએ પોતાનાં પદો દ્વારા તે ભાવ વ્યક્ત કર્યો છે, નપુસંક કહેવાતું મન ભલભલા વીરોથી પણ દુ:સાધ્ય છે. મનને વશ આણવું દુર્લભ છે. તેમાંય આ કાળના નબળા સંઘયણ, મનના દોષિતભાવો ટૂંકું આયુષ્ય આદિ જીવને આ કાળે સામર્થ્ય પ્રગટ થવા દેતા નથી, જીવને સમયે સમયે કર્મબંધન થયા કરે છે. ભાવનિદ્રા અને જીવનની સ્વપ્ન દશામાં આશ્રવદ્વાર ખુલ્લું જ રહે છે. કર્મનાં દળો વધતાં જાય છે. હવે કેટલા કાળ ભમવું છે તેનો હે જીવ ! વિચાર કર અને જાગૃત થા. નિગ્રંથ-ભાવમુનિને સાતમે ગુણસ્થાનકે અપ્રમત્તદશામાં અંશે ઉજાગર દશા હોય છે. પૂર્વ પ્રારબ્ધના યોગને ઉદાસીનભાવે વેદે છે. સંસારના સુખદુઃખમાં તેમને કંઈ આશ્ચર્ય નથી. સંસાર અને મુક્તિમાં સમભાવે રહે છે. મુક્તિ એ આત્માનો સહજ ગુણ છે. જયાં સુધી સર્વ ઈચ્છા નિરોધ નથી થયો ત્યાં સુધી મુક્તિનું ધ્યેય લક્ષમાં રાખવાનું છે. તે માટે સમર્થ જ્ઞાની મુનિઓને પણ આંતરિક જંગ ખેલવો પડે છે. એક ક્ષણના પ્રમાદથી, તીવ્ર રસબંધથી અનંત ભ્રમણ વધે છે. તેથી તેઓ પ્રમાદરહિત હોય છે. વંદન-એટલે જેને વંદન કરવું છે તેનામાં તદાકાર વૃત્તિ, કર્તવ્યની પ્રતિજ્ઞા તે ભાવવંદન છે. જેને વંદન કરો છો તે વિતરાગની વિતરાગતા સ્થાપિત કરવાની છે. અંતર્મુખતા વગર તે ભાવ જન્મતો નથી. દ્રવ્યશુદ્ધિ એટલે ક્રિયા શુદ્ધિ પ્રત્યેક ક્ષણે શુદ્ધતાને અનુભવવી તે ભાવ શુદ્ધિ છે. આસન, શબ્દ, અર્થ, ભાવ વગેરે આલંબન છે. આ કાળે આ ક્ષેત્રે, ૩૨ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy