SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કર્મગ્રંથ આધારિત સ્વાધ્યાય (સ્વ. પંડિતવર્ય શ્રી પાનાચંદ શાહના સાન્નિધ્યમાં) (૧૯૫૦ થી ૧૫૩ માં કરેલી નોંધનો સંગ્રહ) મંગલ સ્તુતિ : ગ્રંથની પ્રથમ ગાથામાં શ્રી વિરપ્રભુને નમીને કર્મગ્રંથનો આરંભ કરવામાં આવ્યો છે. “શ્રી' એ મંગળસૂચક શબ્દ છે. શ્રી એટલે અંતરંગ લક્ષ્મી અને શ્રી એટલે મોક્ષરૂપી લક્ષ્મી એમ બે અર્થ છે. એ રીતે શ્રીનું સ્થાન ઘણું ઊંચું છે. તીર્થકર ભગવંતોને અશોકવૃક્ષાદિ પ્રતિહાર્ય રૂપી બાહ્યલક્ષ્મીનો યોગ હોય છે. અને અનંતજ્ઞાન દર્શનાદિ, અંતરંગ લક્ષ્મી તેઓને વરેલી હોય છે. જગતની અંદર દાનવીર, કર્મવીર, ધર્મવીર એમ વીરતાના સ્વામી ઘણા પ્રકારે હોય છે. કર્મની પ્રબળતા જેણે આતંત્યિક્ષણે ક્ષીણ ક્રી છે તેવા વીરપ્રભુ તે મહાવીરસ્વામી છે. વીરજિન, કર્મરૂપી શત્રુને જેણે જીત્યા છે તે જિન છે. રાગદ્વેષ રહિત છે તે જિન છે. પોતે તીર્થકર હોવા છતાં ગોશાલક આદિનો વ્યવહાર જોઈ ઉદાસીન જ રહેતા. આવી નિર્મળ સિદ્ધિને કારણે તીર્થકર દેવોની દિવ્ય દેશના સમયે જીવો જન્મજાત વેરભાવને ભૂલીને દેશના સાંભળતા અને ભવભ્રમણથી મુક્ત થતા. અથવા કર્મબંધનોને શિથિલ કરતા અને કષાય રહિત થવાની ભાવના કરતા. આવા સામર્થ્યવાન અંતિમભવી તીર્થંકરદેવોના જન્મ, દીક્ષા આદિ કલ્યાણકો સમ્યગુદૃષ્ટિ દેવો વગેરે દ્વારા થતાં. માનવો તેમાં ભાગ લેતા. એવા ઉત્તમકાળે જે જીવો કેવળ આનંદ પામતા કે આજ્ઞાપાલન કરતા તેઓ તે પ્રમાણે બોધ મેળવતા. કોઈ જીવો કોરા પણ રહી ગયા. જીવને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થયો હોય પણ તે કાળે પ્રમાદવશ જ્ઞાનીનો પૂર્ણ પરિચય ન પામવાને કારણે ભવભ્રમણ ટળ્યું નથી તેથી આપણે હજી કર્માધીન જીવીએ છીએ. જીવનજાગૃતિ : ગાઢ મોહરૂપી નિદ્રાને કારણે જીવની વિભાવદશા ટળી ન હોવાથી સન્શાસ્ત્રનો મતિ કલ્પનાએ અર્થ ગ્રહણ થયો છે. નિદ્રા અને સ્વપ્નદશા સ્વરૂપ અવલોકન ૩૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy