SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને સહેલો કરી મૂકે છે. માટે સ્વામીવાત્સલ્યના મૂળ મર્મને સમજવો જેથી આત્મલાભ થાય. દેહ : દસ દષ્ટાંતે દોહ્યલું એવું મનુષ્યપણું પામીને મુક્તિગામી થવાનો નિશ્ચય ન થયો તો નીચેની ગતિ તો છે જ. પશુયોનિમાંથી આવ્યો હશે ને તેવી જ યોનિમાં જવાનું થશે. આ જન્મની સર્વશક્તિનો સંયમના હેતુએજ ઉપયોગ કરી આત્માર્થને જ સાધે કે આ ભવ પછી હવે ભવ નહિ, કદાચ શેષકર્મ રહેતો મનુષ્યભવ જ હોય, આવો નિશ્ચય કરી જ્ઞાની પુરુષોએ અનુભવેલા સ્વસ્વરૂપનું જ લક્ષ રાખે. અને તેને યોગ્ય જીવન જીવે. સર્વ ધર્મ ક્રિયા, પુરુષાર્થ કેવળ આત્માર્થે જ કરે તો વાસનાઓનું બળ ઓછું થશે, સંયમ સહજ થશે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને યથારીતિએ જાણી વિના પ્રમાદે આરાધના કરવી જોઈએ. જીવ જો આશ્રવભાવમાંજ અટકયો તો સંસારથી છૂટી શકશે નહિ. ઈદ્રિય વિષયોમાં જીવ કયાં ફસાયો છે, કયાં ઊંધો પુરુષાર્થ કરે છે, તેને જાણી લે અને ઉપયોગને આત્મલક્ષ તરફ વાળી લે તો સંવરભાવ પ્રગટે. સંસાર સુખનાં સાધનો કેમ સચવાય? કેમ વધે? તેની જ ચિંતા સેવે તો જીવ ઉત્ક્રાંતિ સાધી શકે નહિ. અન્ય કરતાં હું કેમ વધારે સાધનો મેળવું? તેવી સ્પૃહા સ્પર્ધા અને ઈષ મનને દુષ્કૃત્ય તરફ દોરી જાય છે. અને તેમાંથી શોષણ થાય છે. મોટા મોટા રાજયોમાં આવી નીતિ ચાલે છે. અને ગુલામગીરી વધી પડી છે. મનુષ્ય પોતે વૃત્તિનો ગુલામ બને છે.અને આવડી મોટી ગુલામી ઊભી કરે છે. પરાધીન દશાવાળો મનુષ્ય અન્યને કેવી રીતે સ્વાધીન કરી શકે? અને પરાધીન જીવો ધર્મારાધન શું કરી શકે? આવા કળિયુગમાં અકાળે મોત તો માથે ભમે છે. એક ક્ષણ કે ઘડીનો ભરોસો નથી. સર્વ મૂકીને ચાલ્યો જતો જીવ ક્યાંથી આવ્યો અને કયાં જશે તે જાણતો નથી. છતાં કયા સુખ માટે જગતમાં આવા પ્રપંચને આચરે છે? વિચારશીલ જીવે સત્વગુરુના આશ્રયે સશાસ્ત્ર દ્વારા જ્ઞાનઆરાધન કરવું જોઈએ. સાચી શ્રદ્ધાથી મેળવેલું સત્વજ્ઞાન જગતના ગમે તે ખુણે ઉપયોગમાં આવશે. તેના વડે જ પોતે કોણ છે કયાં જવું છે તેનો નિશ્ચય કરી શકાશે. શાસ્ત્રોમાં કષાયો અને કર્મો દ્વારા થતી મંદ-જડ ગતિનું અને ત્યાગ વૈરાગ્ય સ્વરૂપ અવલોકન ૨૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy