SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સંત કે જ્ઞાની કહેવડાવવા ઉતાવળા બની જાય છે. તેવા ગુરુઓ પોતે તરતા નથી અને બીજાને તારી શકતા નથી. લાકડાની નાવ હોય, યોગ્ય નાવિક હોય, તો યાત્રીઓ સામે પાર સરળતાથી પહોંચી જાય છે. તેમ જ્ઞાની ગુરુ હોય તો સાધક ધર્મને આરાધી શકે છે. કાગળની હોડી વડે અવિરતિ સંતમહાત્મા પોતે તરતા નથી અને બીજાને તારી શકતા નથી. મહાવીર જેવા આજન્મ સિદ્ધ પુરુષે પણ સાડાબાર વર્ષ મૌન રાખી, ઉપસર્ગ, પરિષહોના ઉદયને પૂર્ણ કર્યો હતો. પોતે આ જન્મે તીર્થકર થવાના છે જાણીને સંયમ ત્યાગ છોડયા ન હતા. કે બાહ્ય પુણ્યના ઉદયનો અંશમાત્ર ઉપભોગ કર્યો ન હતો. પુણ્યયોગનાં સાધનો તેને સ્થાને હતાં પોતે આત્મસ્વરૂપે રહ્યા હતા. વરસીદાન જેવાં કાર્યો પૂર્વના ક્ષુણાનુબંધને પૂર્ણ કરવા અર્થે જ હતાં. સમ્યગદશાનું સ્વરૂપ : પાંચ લક્ષણો છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. પ્રશમ : પરમશાંતદશા, ક્રોધાદિભાવથી વિરમેલો જીવ. સંવેગ : સંસારને દુઃખરૂપજ જાણે. રાગદ્વેષાદિ રહિત પરમ શાંત દશાને ઈચ્છે. બાહ્ય પદાર્થો તરફથી, ઈદ્રિય વિષયો તરફથી જેણે બધી જ વૃત્તિઓને અંતર્મુખ કરીને સંયમમાર્ગે વાળી છે. (મોક્ષનો અભિલાષ) પરમ વૈરાગ્યદશા નિર્વેદઃ છે. સંસારમાં મને મોહ નથી તેમ કથન કરવું, કે સંસાર અસાર છે તેમ કહેવું અને સંસારમાં રહેવું તે નિર્વેદ દશા નથી. કેવળ વેશ બદલવાથી સંવેગ કે નિર્વેદભાવ આવતો નથી. બાહ્ય સંયમથી કેવળ લોકેષણામાં પડી પોતાને અને અન્યને ઠગવા જેવું થાય છે. લોકોના મનોરંજન જેવાં ક્રિયાકર્મ કરાવવાથી કે કરવાથી પણ આત્માર્થ નથી. સાચો વૈરાગી- ધર્મના વાદવિવાદમાં પડતો નથી. આત્માર્થને સાધતો સંયમી સાધુ નિર્વેદપણું પામે છે. સંસારથી થાક અનુભવે છે. આસ્થા : પોતાના સત્ ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્મમાં સમભાવ કે વિવેક એવી અસંકુચિત દૃષ્ટિ તે આસ્થા છે. પોતાને ધર્મી કહેવડાવવા બીજાને હલકા પાડવા તે ધર્મની આસ્થા નથી. ધાર્મિક ક્રિયાઓમાં લાભ અને લોભની આકાંક્ષા રાખે પણ આત્માર્થને ન સાધે, તે આસ્થા નથી. જિનેશ્વર દેવોએ મુક્તિ માટે પુરુષાર્થનો માર્ગ બતાવ્યો તેમાં પ્રમાદ સેવે. સ્વરૂપ અવલોકન ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy