SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ : આત્માની સાથે મન વચન શરીરાદિનું કાર્યકારણભાવે જોડાવું તે બાહ્ય પૌદ્ગલિક યોગ છે. તેમાંથી કર્મનું ઉપાર્જન થવું તે આશ્રવ છે. આ કર્મોનાં દ્વાર બંધ કરવાં નવાં કર્મોને રોકવાં તે સંવર છે. અને પ્રબળ પુરુષાર્થ કરી નિર્જરાદશાએ જવું તે ઉત્ક્રાંતિ છે. બારમા ગુણસ્થાનક સુધી સતત જાગૃતિ, સતત પુરુષાર્થ, જ્ઞાનીના વચનનો આશ્રય રાખવા પડે છે. કષાયરહિત જીવન સાથે માનસિક-અંતરયોગની પ્રબળતા જોઈએ. આવા સત્તાધન વગર અને પુરુષાર્થ વગર જીવ પહેલા અને ક્ષાયોપશમિક ચોથાગુણસ્થાનક સુધીનાં ચાર પગથિયાં ચઢ ઉતર કરે છે. અને તેવું અનંતકાળ સુધી બન્યું છે. જીવન ક્રમમાં ઉત્ક્રાંતિ લાવે, ચોથે દૃઢ રહે તો ક્રમે કરીને આગળનાં પગથિયાં ચઢી જાય છે. આઠમેથી સ્વભાવભૂત દશાનો પ્રબળ આશ્રય મળી રહેતાં બારમે પહોંચી જાય છે. પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરી તેરમા અને ચૌદમા ગુણસ્થાનને પહોંચી મુક્ત થાય છે. માટે પ્રથમ સમકિતને દૃઢ કરો, પછી કોઈ અશક્યતાઓ નથી. યોગ સિદ્ધિ માટે મંત્ર કે પ્રાણાયામ જેવી ક્રિયાઓ થતી હોય છે. તેમાંથી દેહાદિભાવે થતી સાધનાને કારણે જે કંઈ સિદ્ધિ થાય છે તે સંસાર ફળને આપે છે. મંત્રાદિથી મનનો સંયમ થાય, દેહાદિનો વિકાસ થાય પરંતુ સૂક્ષ્મ એવી વૃત્તિ રહે તો સંસાર યોગ ચાલુ રહે છે. ક્ષણે ક્ષણે પોતાની વૃત્તિ, ક્રિયા અને પરિણતિ પર વિચારણા કરી કર્મ સંયોગને યથાર્થ સમતાભાવે વેદે તો આત્મગુણ પ્રગટે. તીર્થંકર ભગવાનો સત્ પુણ્ય ઉપાર્જનને કારણે એક વરસ સુધી દાન આપીને પુણ્યયોગને પૂરું કરે છે. તે દાન સમયે કોઈ વૃત્તિ નથી હોતી તેથી લેનાર અને આપનાર બંને મુક્ત થાય છે. તીર્થંકરના જીવો ત્રણ જ્ઞાન સહિત જન્મ ધારણ કરે છે છતાં પોતે શાની છે તેવું માનીને પુણ્યના ઉદય સમયે ઉતાવળા નથી થતા. પૂર્વભાવી સંયોગો ઉદયમાં આવે તેમ વેદે છે. અને અંતરયોગમાં સ્થિરભાવે વર્તે છે. રાજય છોડયા પછી, બાહ્ય સંસાર છોડયા પછી, કર્મોની અતિ નિર્જરા પછી જ કેવળજ્ઞાન પ્રગટે છે. આ ભવે મુક્તિ છે તે જાણે છે છતાં, ધીર, ગંભીર અને સમભાવે ઉપસર્ગ પરિષહોને સહન કરી, ક્રમે કરીને જ જ્ઞાનને પામ્યા છે. આ કાળે જીવ થોડી સિદ્ધિ પ્રાપ્ત કરે, થોડો ત્યાગ સંયમ કરે એટલે ૨૬ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy