SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર નથી વ્રત કરે તો ય આ કષાયો દૂર ન થાય. મિથ્યાપ્રકૃતિ બીજું એક કર્મને છોડે અને ગ્રહણ કરે. તેને પૂર્વસંચિત ગમે તેવા સાધનો મળે સંતોષ ન થાય. સમકતી સંયમી હોય. તેનો પૂર્ણ અનુભવ ક્ષાવિકભાવે થાય. કેવળજ્ઞાન પછી અતિસૂમ કર્મ બાકી હોય તો જ્ઞાની આયુ પૂર્ણ થતાં પહેલા સમુઘાત જેવી ક્રિયા કરી આત્મપ્રદેશને ફેલાવી તે કર્માણનો સંબંધ પૂર્ણ કરે. આવી ઉત્તમ ક્રિયા તે સ્વભાવ રૂપ છે. એક જીવના પરિણામના આધારે એક કર્મ બે ઘડીમાં બંધાય છે. પછી તેમાં રસપૂર્તિ થઈ, તે કર્મનો કાળ નક્કી થાય છે, તે અનુક્રમે યોગ્ય સમયે ઉદયમાં આવે છે, તીવ્ર રસોદય હોવાથી આત્મા તેને વિખેરી દેવામાં પહોંચી વળતો નથી. કર્મનું જોર વધુ અને આત્મબળ ઓછું, આવી દશાને જાણીને વિભાવ દશાને મંદ કરવી. આત્મવીર્ય પ્રગટે તેવી ક્રિયામાં રહેવું. કાળનું બહાનું ન લેવું. જિનેશ્વરના નિર્વાણ બાદ કેટલાક ઉચ્ચ આત્માઓએ શુદ્ધ ચારિત્ર પાળી માર્ગ ખુલ્લો રાખ્યો. આજે તે જ્ઞાનીઓ પ્રત્યે આપણે રાગ રાખ્યો અને સંયમ મૂકી દીધો. તેમની પાસે માગે મુક્તિ અને ક્રિયા કરે કર્મની એટલે પાંચમા આરામાં સ્થાન મળ્યું. જયાં મુક્તિનું કાર્ય દુર્લભ થઈ પડયું છે. મહેનત ઘણી કરે પણ અજ્ઞાન ન છોડે, તેવી દશા વર્તે છે. પછી આત્મ વિકાસ કેવી રીતે થાય? ઘરમાં રહીને ગૃહસ્થ ઉપયોગ શૂન્ય બને ત્યારે સામાયિક વ્રતાદિ દેહરૂપે થઈ જાય. સામુદાયિક ક્રિયામાં ઉત્તેજના વધી પડી, જ્ઞાનની શિથિલતા આવી, તેથી ચારિત્ર પણ નબળું થયું. ધર્મ કરવો સહેલો થઈ પડયો, ધર્મી કહેવડાવવું સહેલું થઈ પડ્યું, આવો ધર્મ પૂર્વે અનંતવાર સેવ્યો, જ્ઞાનીનો યોગ અનંતવાર મળ્યો. છતાં આજે આ કાળે આપણે જન્મ ધારણ કરી જ્ઞાનમાર્ગે નહિ જઈએ તો કાળ લંબાતો જશે. માટે એકાંત સાધના માટે પ્રવૃત્ત થવું, આ કાળે કેટલીક પ્રકૃતિની નિવૃત્તિ શકય છે. જે મુક્તિમાર્ગને અનુસરે છે, તે બાહ્ય ક્રિયાથી નિવૃત્ત થઈ અંતર તપાદિમાં વધુ સમય ગાળે છે. ધર્મધ્યાન જેવી ક્રિયામાં સ્થિર થતો જાય છે, તે ક્રમે કરીને પરમાર્થ પંથને સાધે છે. માટે આત્મ અવલોકન કરી સન્માર્ગે પ્રવર્તવું. પંચમ કાળ છતાં શાસનનો યોગ છે. આપણને ગુરુજનોના યોગ મળે છે. રૂડા જીવો આ કાળે તેવા યોગને પ્રાપ્ત કરી આરાધન કરે છે. તેવા જીવોની સ્વરૂપ અવલોકન Jain Education International ૨૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy