SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ થાય ત્યારે એક એક પ્રદેશે સમયે સમયે સંબ ગમાં આવે છે. તેથી શુદ્ધિનો ક્રમ પણ સમયે સમયનો જોઈએ. અનંતા ત કાર્મણવર્ગણાથી ઘેરાયેલા આત્મપ્રદેશના એક એક પ્રદેશને મુકત કરવા પુરૂષાર્થની દઢતા જોઈએ. આઠ રૂચક પ્રદેશ ખુલ્લા છે. તેથી ગમે તે યોનિમાં દરેક જીવનો શ્રુતનો અંશ ખુલ્લો રહે છે. અસંખ્ય પ્રદેશોને આવરણ હોય ત્યાં આઠ રૂચક પ્રદેશો આવરણ રહિત હોય તો ય જીવની દશા બદ્ધ છે. અનંતાનંત કાર્મવર્ગણા ચોંટેલી હોય અને શુદ્ધિનું બળ તેથી ઉણું હોય તો પૂર્ણ શુદ્ધિ થવી સંભવ નથી. અને જીવ ભવચક્રમાં ફર્યા જ કરે. માટે તે કર્મવર્ગણાથી છૂટવાનો ક્રમ દર્શાવ્યો. પ્રથમ ગ્રંથિભેદ માટે, પ્રથમની જડ અને અજ્ઞાન દશાને તોડવા શુદ્ધિનો ક્રમ સેવવો. ત્યાર પછી વર્ગણાઓની પકડ શિથિલ થાય છે અને અનુક્રમે તેનું બળ ઘટે છે. થાકયા અને હાર્યા વગર સતત આ કાર્ય અવિરતપણે સદ્ગુરુના પ્રભાવમાં એક જ લક્ષે કરવાનું છે. અપ્રમત્તભાવ વગર કષાયના મૂળિયા નષ્ટ થતાં નથી. સાધુ દશામાં કર્મપ્રકૃતિ અને જીવનો સંયમ બે જ દશા બાકી રહે છે. બીજા પરિગ્રહની જરૂર રહેતી નથી. પ્રકૃતિ છે, તેને દૂર કરવા આત્માનું સામર્થ્ય છે, તે કર્મને ખપાવ્યા કરે. જો બીજા સાધનો કે ક્રિયાઓનો મોહ થશે તો કર્મ નિર્જરાની સકામતા મંદ થશે. પુગલ વડે આત્માનું સંશોધન સંભવ નથી. વ્રતનું અનુષ્ઠાન જ એકાંત સંશોધન માટે છે. માત્ર ઉત્સવ માટે નથી. ગુરૂ પાસે પરિગ્રહ પરિમાણનું વ્રત લે પછી બાહ્ય પ્રવૃત્તિ ઘટવી જોઈએ. કેવળ અમુક મૂડીનો પરિગ્રહ કરે અને પૂરો દિવસ દુકાને બેસી પુત્ર પરિવાર માટે તેને નામે ધંધો પૂરા રસથી કરે તો વ્રતમાંથી સત્ય ન પ્રગટે. આવું વ્રત લઈ શ્રાવકે વધુ સમય સામાયિક, પોષધ જેવા વ્રતમાં રહી આત્મસંશોધન કરી મોહ-મૂછ ઘટાડવાના છે. ધંધાની ધમાલ છોડી, દહેરા ઉપાશ્રયનો ટ્રસ્ટી બને અને તેમાં પણ ધન કેમ વધે, તેવા ભાવ સેવે તેથી શુદ્ધિ દૂર રહે. એકાંત જ શુદ્ધિ માટે ઉત્તમ સાધન છે. વિચાર શ્રેણિની શુદ્ધતા કર્મનીવર્ગણાને ખેરવી નાંખે છે. પૂર્વની મોહવાસનાથી જે આ કાળે મળ્યું છે તે કાળના પરિણામ પ્રમાણે પૂર્ણ પુરૂષાર્થ કરી માર્ગ ટૂંકો કરવાનો છે. - જે પ્રકૃતિનો ઉદય છે તેને ઉત્તેજન મળે તેવી ક્રિયાથી દૂર રહેવું. અનંતાનુબંધી કષાય સમકભાવ વડે શમે. તે કષાયો દૂર કરવા વતની સ્વરૂપ અવલોકન ૨૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy