SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ પૂજા : સંસારી જીવ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય. પૂજા કરવા જાય ત્યારે સ્થિરતા માટે પ્રથમ અંગપૂજાનો પ્રકાર આપ્યો. તે પછી ત્યાગ સંયમ માટે અગ્રપૂજાનો પ્રકાર આપ્યો. આ બંને પૂજા દ્વારા સમભાવ આવે, પછી ભાવ પૂજા માટે ચૈત્યવંદનાદિ વિધિ બતાવી. બંને પૂજામાં સ્થિરતા થયા પછી ભાવપૂજામાં જાય ત્યારે આત્મા પરમાત્માના ગુણોમાં એકાકાર થાય અને જેવી સ્થિરતા તેવો આત્મભાવનો આવિર્ભાવ થાય. જો ચિત્ત અન્ય વિચારમાં જાય તો મુખ દ્વારા શબ્દોનું જ રટણ રહે અને જીવના પરિણામ રૂપાંતર ન થાય. ભાવપૂજા દ્વારા જીવ મહાન નિર્જરા કરી શકે એજ જિનપૂજાનો મહિમા છે. વીતરાગની પૂજાની ફળશ્રુતિ વીતરાગતા છે “ભ્રમર ઈલિકા ન્યાયે પ્રભુજી થઈશું તુમ સમ નાથ” એવી ભાવના કરવી. જિનપૂજાનો સારાંશ : વીતરાગદેવનું અહંતપદ પૂજનીય છે. તેમાં અમુક જ ભગવાનની પૂજા કરવી તેવો આગ્રહ અસ્થાને છે. દરેક પ્રતિમા વીતરાગત્વ સૂચવે છે. તેમના નામના વિશેષ અર્થ હોઈ શકે. જેમકે પાર્શ્વ એટલે સમીપનું, પાસેનું જ્ઞાન, તેનું આરાધન કરવા પૂજા કરવાની છે. જિનપૂજા સમયે આપણા ચિત્તમાં આપણી આસપાસ જિનની ઉપસ્થિતિનો આપણને ભાસ થાય. વિતરાગદેવનું સદેહે પ્રત્યક્ષ દર્શન નથી. પણ સાધક ભાવથી પ્રતિમાની અંદર દર્શન પામે છે. માટે પ્રતિમા દર્શન શ્રેષ્ઠ અવલંબન છે. કોઈ જીવો એવું માને છે કે મૂર્તિના દર્શન, પૂજનની શું જરૂર છે? નામસ્મરણ કરીએ તો તે દર્શનસમાન છે, નામસ્મરણ સાથે શાની એકાકારતા છે ? વીતરાગતાને સમજવા તેમના ગુણનું અવલંબન લેવા પ્રતિમાના દર્શન અને પૂજનની પ્રરૂપણા કરી છે. નામસ્મરણ અને પૂજન બંને ક્રિયામાં ભાવનું અધિષ્ઠાન મુખ્ય છે. બંને ધર્મ સાધન છે. તેમાં જળ કે પુષ્પપૂજાનો શ્રાવકને દોષ નથી. શ્રાવકના સંયમ માટેની આ ક્રિયા છે. જિનદેવની અષ્ટપ્રકારી પૂજામાં ઉત્તમ વર્ણાદિવાળી સામગ્રી લેવી. સંસારના ક્ષણિક સુખને ત્યાગીને પ્રભુએ સર્વોત્તમ પુદ્ગલો, વર્ણાદિ પ્રકૃતિના નિયમથી મેળવ્યા હતા. અને તેમના શુભપુદ્ગલાદિ પણ જગતને માટે કલ્યાણરૂપ હતા. આપણે તેવા ગુણો મેળવી વર્ણાદિની પ્રકૃતિથી નિવૃત્ત થવાનું છે. તેમાં ધૂપ, સ્વરૂપ અવલોકન ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy