SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ જેવી પૂજાઓનું અનુષ્ઠાન છે. તેનો નિષેધ તે અવરોધ છે. જિનપૂજા કે દર્શનના ભાવ સાથે દર્શનાવરણ મંદ થવું જોઈએ. તે સમયે જીવ જો યંત્રવત ક્રિયા કરે અથવા શંકા સેવે કે પૂજા કરો કોને ખબર ફળ મળશે કે નહિ, સૌ કરે છે માટે લોકવ્યવહારથી કરે તો દર્શન મોહનીય પ્રકૃત્તિમાં જાય. જિનદર્શનમાં ભાવ એવા હોય કે ચક્ષુથી દર્શન થાય અને અંતરચક્ષુ ખુલે. અંતર બાહ્ય બંને ચક્ષુ આવરણ દૂર થાય. અને કષાય મંદ થતાં ચારિત્ર મોહનીય પણ મંદ થાય. જિનપૂજા સમયે ત્રણે યોગની સ્થિરતા થાય. સ્થિરતા વગર આત્મ સિદ્ધિ નથી. પાપપ્રવૃત્તિથી દૂર થવા ત્રણે યોગોની સ્થિરતા જરૂરી છે. જિન પ્રતિમાની અંગપૂજા સમયે કાયયોગની, અગ્રપૂજા સમયે વચનયોગની અને ભાવપૂજા સમયે મનોયોગની એમ ત્રિયોગની સ્થિરતા અત્યંત નિર્જરારૂપ છે. મતિજ્ઞાનના પ્રકાશમાં દર્શન-પૂજામાં સ્થિરતા આવે અને શ્રુતજ્ઞાનના પ્રકાશથી શબ્દ સાથે ભાવ સ્થિર થાય. આમ આ બંને જ્ઞાન વડે આત્મત્વ પામી શકાય. આ પ્રકારે દર્શન થાય તો શ્રદ્ધા દેઢ થાય, તે જ સમકિત છે. આત્મ શ્રદ્ધાએ સદેવ ગુરૂ ધર્મનો નિર્ણય તે ક્ષયોપશમનો અનુભવ છે. સદર્શનનો પ્રારંભ છે. સમકિત દ્વારા ચિંતન કરે કે પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે પહેલાના ભવોમાં તેઓની સકિત દશા કેવી ઉત્તમ હતી. અતિશય પુણ્ય પ્રકૃતિનો ઉદય હતો ત્યારે પણ કેવા અસંગભાવે સંયમથી રહેતા તેઓનું તે સ્વરૂપ ધ્યાનમાં લેવું. દર્શન-પૂજા દ્વારા અસત્ પ્રવૃત્તિમાંથી સત્પ્રવૃત્તિમાં જવાય અને અક્રિયદશાનો અંશે અનુભવ થાય. મનુષ્યજીવન દર્શન, જ્ઞાન, ચારિત્રની સાધના માટે છે. દર્શન શુદ્ધ થતાં ઉપયોગની સમતુલા રહે. દેહમાં ભરાઈ બેઠેલો આત્મા પ્રમાદને કારણે દૂર જતો અટકે, દેહભાવથી મુકત રહે. પ્રભુના ગુણગાનથી ગુણ કેળવાય, પ્રભુની મુદ્રામાં અંતર ભાવો સુંદર રીતે અંકિત થાય તે પ્રણિધાન છે. ચિંતનધારામાં વિકલ્પો અદૃશ્ય થઈ જાય. શાંતિ અશાંતિના દબાણથી જીવનો પુરૂષાર્થ ખીલતો નથી. કર્મના ઉદય ઓછા થાય તે શાંતિ છે. અનંતજ્ઞાનાદિ માટે શબ્દજ્ઞાન કે બુદ્ધિની જરૂર નથી. આ યુગમાં બુદ્ધિવિકાસના સાધનો વધતા જાય છે. પોતાની પાસે આત્મસુધારણાનું કેટલુંયે સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૫૭ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy