SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી તેના વ્યવહારમાં આવો ફ૨ક રહ્યો. અંગપૂજા દ્વારા જીવે પ્રભુના ગુણોનું ગાન કરી કષાય મંદતા કરવાની છે. ફૂલ, ફળ, એકેન્દ્રિય જીવો છે તેના તરફ કોમળભાવ અને ત્યાગભાવ કેળવવા માટે આ પ્રકારે પ્રભુ પુજનમાં તેનો ઉપયોગ બતાવ્યો. પોતાની જરૂરિયાત ઓછી કરવાનો ભાવ કેળવવો તે આ પૂજાનું રહસ્ય છે. વળી ઋતુ અનુસાર તેનો ઉપયોગ જણાવ્યો જેથી સંયમ કેળવાય. પૂજા દ્વારા અહિંસાની ઉપાસના કરવાની છે. મુકત થનારા સૌ જીવોએ ક્રમિક વિકાસ સાધ્યો છે. તીર્થંકરના જીવને જન્મથી ત્રણ જ્ઞાન કોણે શીખવ્યા ? પુરૂષાર્થ અને આત્મબળનું તે રહસ્ય છે. તેવા જ્ઞાનને કારણે બાળ અવસ્થા જ બદલાઈ જાય. આપણો આત્મા આવી પૂજાના પ્રકારોમાંથી મંથન કે અવલોકન કરે કે મારામાં સાધુતા કયારે આવે ? પ્રભુ પૂજનની સામગ્રીના નિમિત્તે ઉપયોગ વડે જીવ કષાયમુક્ત થાય છે. તે નિમિત્તે પ્રભુના સાનિધ્યમાં જીવને સમાધિભાવ રહે છે. સમભાવ રહે છે. ૮. નૈવેદ્ય પૂજા : આહાર તેવો વિચાર, અને તેવું વર્તન. આહાર ઉત્તેજિત તો મન ઉત્તેજિત રહેશે. પ્રભુ પૂજામાં નૈવેદ્ય ધરીને સ્વાદ જય કરવાનો છે. અનાહારક તે આત્માનો સ્વભાવ છે. છતાં આહાર લેવો પડે છે, અને તેમાં પણ સ્વાદ માણવાની વૃત્તિ થાય છે અને આ વૃત્તિ મનુષ્યમાં બળવત્તર હોય છે. અન્ય યોનિમાં તો આહારના કેવા પ્રકારો સેવ્યા છે તેનો વિચાર કરે. અને મનુષ્યપણામાં આહાર લોલુપતા માટે શું કરી રહ્યો છે તે વિચારે. તેમાંય પુણ્ય હોય તો સારો આહાર અને પાચન શક્તિ મળે છે. આહાર શરીરને ધારણ કરવા માટે લઉં. અને શકય તેટલા તપ કરું. પણ જો તપ કરીને પણ આહાર કે સ્વાદવૃત્તિ બળવત્તર રહે તો નૈવેદ્યપૂજાનું પરિણામ ન આવે. નૈવેદ્ય ધરીને પદાર્થોના સંયમ અને ત્યાગની ભાવના કરવાની છે. પૂજન સમયે આહારના વિચાર આવે તો પૂજા કરીને પણ અનાહારકદશા ન કેળવાય. પોતાની વૃત્તિ પ્રમાણે જીવને સંતોષ આપવા ફળ નૈવેદ્ય પૂજામાં રાખે તો વૃત્તિસંક્ષેપ ન થાય. સમકિતી પૂજા વિધિમાં જાગૃત રહે અને પૂજાને અંતે આત્મભાવે પ્રસન્ન થાય. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૫૫ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy