SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાજય છે. મોક્ષમાર્ગેને અનુરૂપ યોગ ઉપાદેય છે. અને ૫૨૫દાર્થના સર્વ યોગ જ્ઞેય છે. જાણીને છોડી દેવાના છે, આત્મા કેવળ જ્ઞાતા રહે તો તમામ યોગ છૂટી જાય છે. માટે યોગદૃષ્ટિનું માહાત્મ્ય છે. માનવદેહે કર્મબંધનની પરંપરા ચલાવવી તે અધર્મ છે. અને બાંધેલા કર્મ છોડવા, નવાની પરંપરા ન ચાલે તે ધર્મ છે. મનુષ્યને મન, વચન, કાયાના યોગો મળ્યા છે. વાચા સહિત વિચારશક્તિ મળી છે. કેવી ક્રિયા કરીએ તો મનુષ્ય અન્ય પ્રાણી કરતાં જુદો પડે અને મનુષ્ય જન્મને સાર્થક કરે. શ્રાવકનું જીવન નિયમિત અને નીતિમય જોઈએ. વળી ચિત્તની એકાગ્રતા માટે, કષાયની નિવૃત્તિ માટે, વિષયોની મંદતા માટે કેટલીક આવશ્યક ધર્મપ્રવૃતિ કરવી જોઈએ. અને તે પ્રવૃત્તિ સાચી દષ્ટિથી સમ્યક્ પણે થાય તો સાર્થક છે. શ્રાવકે પોતાનો વ્યવહાર રાગદ્વેષ રહિત તટસ્થભાવે કરવો જોઈએ. દુઃખ સમયે ક્ષણિક વૈરાગ્ય જણાય તે મધ્યસ્થતા નથી. જીવન કંટાળારૂપ લાગે તે વૈરાગ્ય નથી તે અજ્ઞાન છે. અને જ્ઞાનારાધન પ્રત્યેનો પ્રમાદ છે. સતત્ જાગૃતિ તે જ્ઞાનમાર્ગ છે. છતાં શ્રાવક સતત જ્ઞાનદશામાં ન રહી શકે તો તેણે સવારથી રાત સુધીની નિયમિત પ્રક્રિયા યોજવી. વહેલી સવારથી પ્રાતઃક્રિયા ધ્યાન, પ્રતિક્રમણ, સામાયિકથી કરવી. નવકારસી જેવા નાના વ્રતથી, પ્રભુસ્મરણ પછી આહાર જેવી ક્રિયાનો પ્રારંભ કરવો. પૂજા વિધિ કરી, દાન જેવા કાર્યો યોજવા, જરૂરી વ્યવસાય કરી સાંજે રાત્રિ પહેલા ભોજન વિધિ પતાવી પ્રતિક્રમણ જેવી ક્રિયા કરી રાત્રિ પણ ધર્મમય ભાવનાથી ગાળવી. આ કોઈ ક્રિયામાં સુખભોગની વાસના ન રાખવી પણ કર્મમળ નાશ પામે તેવી રીતે ક્રિયા કરવી. ક્રિયા પૂરી થઈ ગઈ તેમ ન માનવું. આત્મસંશોધન કેટલું થયું તે વિચારવું. શ્રાવક જિનપૂજા વિધિસર, ઉલ્લાસપૂર્વક શુદ્ધચિત્તે કરે તો પણ અજ્ઞાનજ્ઞાનવરણ દોષો દૂર થાય. જિનપૂજા માટે જે સામગ્રી બતાવી છે તેમાં તો ઘણું રહસ્ય છે. જીવનમાં જે જે ચીજોની જરૂર છે તે પૈકી ઉત્તમ ચીજોનો ત્યાગ જિનપૂજા દ્વારા શીખવા મળે છે. કેવળ ભાવપૂજા પર એકાગ્ર રહી ન શકાય જે મુનિધર્મમાં મુખ્ય છે. શ્રાવકને માટે અંગપૂજા અને અગ્રપૂજા બતાવ્યા. જિનપૂજાના નિમિત્તથી પોતાનું ઉપાદાન શુદ્ધ થાય. ફળની અપેક્ષા સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૫૧ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy