SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ વગર વિતરાગભાવની ભાવના કરવાની છે. અને શ્રાવકે સંયમ સાધવા પુરૂષાર્થ કરવાનો છે. શરીર અશક્ત થાય. ઈદ્રિયો શિથિલ થાય ત્યારે નિવૃત્તિ લઈશું. સાધના કરીશું તેમ માને તો સાર્થક ન થાય. અને વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ લઈને પણ પુત્રાદિ પરિવારમાં જ વૃત્તિ દોડયા કરે તો નિવૃત્તિ સાર્થક ન થાય. તે ધર્મધ્યાનનો અભ્યાસ યુવાવયથી જ શરૂ કરવો. મહાવીર ભગવાન ગૃહવાસમાં રહ્યા પણ રાજસુખ ભોગવ્યા નથી. કોઈ વ્યવસાય ક્ય નથી. દાન, શીલ અને સંયમમાં પ્રવૃત્તિ અને પછી નિવૃત્ત રહેતાં. એવા વીતરાગદેવની પૂજા ક્રવા માટે આપણા ભાવ કેવા સંયમમય હોવા જોઈએ ? ત્યાગ માટે બાહ્ય સામગ્રીની જરૂર છે. પણ વીતરાગતાના ધ્યાવન માટે વૈરાગ્યભાવનું ધ્યાન કરવાનું છે. મારા જીવનમાં શું દોષો છે તે શોધવાનું છે. તેને દૂર ક્રવાના છે. જિનપૂજા શ્રેષ્ઠ અવલંબન : જિનપૂજા વિધિપૂર્વક કરીએ ત્યારે પ્રભુતા આવે. હું શા માટે પૂજા કરું છું અને કોની પૂજા કરું છું તેની વિચારણા કરવી જોઈએ. પૂજા મૂર્તિની નથી કરતો. જેની મૂર્તિ છે તેના ગુણોની પૂજા કરું છું. પૂજાની સામગ્રીની ગોઠવણીમાં હૃદયનો ઉમંગ રહે. પક્ષાલ આદિ ક્રિયામાં શુભભાવ રહે. મૂર્તિની કોઈ અશુદ્ધિ ન થાય. વળી તીર્થંકરના પુણ્યાતિશયથી જન્મ સમયે અશુચિ નથી હોતી. શ્રાવકે ગુણ ગ્રહણ કરવા આવી ક્રિયા કરવાની છે. અને તે દ્વારા ગુણ ગ્રહણ થાય. કષાયનું શમન થાય. ૧. જળપૂજા : જળપૂજા કરવાથી મને સુખ મળે તેવો ભાવ આવે તો આત્મનું હિત ન થાય. જળપૂજા કર્મના મેલનો નાશ કરવા માટે છે. એટલા માટે જળના કળશને જ્ઞાનકળશ કહ્યો. જીવે વિષમતા ત્યજી સમતા ધારણ કરવાની છે. ૨. ચંદનપૂજા ચંદનપૂજાથી શીતળતાનું ભાન આવે. આશ્રવનું શમન થાય અને સંવર ભાવ પ્રગટે. ચંદનપૂજા કરતાં મન, વચન, કાયાના યોગો શાંત થતાં શીતળતાનો (ઉપશમ) અનુભવ થાય અને સ્થિરતા આવે. ૩. પુષ્પપૂજા પુષ્પો કોમળ અને સુગંધીવાળા હોય છે. તેના તરફ આકર્ષાઈ લોકો તેનો ભોગપભોગ માટે ઉપયોગ કરે છે, ત્યારે તેના તરફ જીવની પરિણતિ કોમળ રહેતી નથી. અને ભોગની વૃત્તિથી વેરભાવ સ્વરૂપ અવલોકન ૨૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy