SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવર્તન કાળકૃત નથી પરંતુ પુદ્ગલકૃત છે. યોગો શુભભાવ સાથે જોડાય તો શુભ ગણાય. અને અશુભભાવ સાથે જોડાય તો અશુભ પરિણામી થાય. આત્મા સંવરભાવમાં રહે તો યોગનો વ્યાપાર રોકાય. યોગોનું બળ વિષયો પરત્વે વધે છે ત્યારે આત્મા પાછો પડી જાય છે. તે વિષયો સાથે મનાદિયોગને આધીન ન થાય અને જ્ઞાન-દર્શન-ચારિત્ર યોગમાં આવે તો જીવકર્મથી નિવૃત્ત થાય છે. જ્ઞાનયોગને બદલે ક્રિયા યોગ વધી જવાથી આત્માભાવ શૂન્ય થઈ જાય છે. ક્રિયાથી આત્મઅવલોકન ન થાય. યોગનું શોધન તે સાચું અવલોકન છે. પ્રવૃત્તિ નિવૃત્તનું સાધન હોવી જોઈએ. જેમકે સ્વાધ્યાય ધ્યાન વિગેરે. જ્ઞાન સહિતની ક્રિયા નિર્જરારૂપ છે. તેવી ક્રિયાથી શુદ્ધિ ટકી રહે છે. પૂર્વબંધના સંબંધો ગળતા જાય છે, તેવી ક્રિયા તે ધર્મ છે. એમાં આત્માનું શ્રેય છે. કેવળ શુભભાવમય ક્રિયા શાતા અને અશાતાના દ્વંદ્વનું કારણ બને છે. યોગનું શુદ્ધ થવું એટલે પરભાવથી મુક્ત થવું. સમકિતી આત્માને યોગો સહાયક બને છે. જેમ જેમ પુદ્ગલોના વિપરિત સંબંધો હળવા થાય છે તેમ તેમ મુક્તિ સમીપ જણાય છે. પુદ્ગલના સંબંધો હળવા થાય છે, પછી આત્માની શક્તિ વિકસિત થવાથી ઉપયોગ યોગોની સાથે જાગૃત રહે છે. સંયમ એ નિર્જરાનો હેતુ છે. ધર્મનું લક્ષ દરેક કાળે એક જ હોય છે. આરાધનાના પ્રકારોમાં થોડો ફેરફાર થાય. જેમ શ્રી પાર્શ્વનાથના સમયમાં દોષ થાય ત્યારે તત્ક્ષણ પ્રતિક્રમણ હતું. પ્રભુ મહાવીરના સમયમાં નિત્ય બે વાર કરવાનું અનુષ્ઠાન કહ્યું. દેશ કાળ પ્રમાણે આવા ફેરફાર થતાં રહે. જ્ઞાન સહિત ક્રિયારૂપ ધર્મ વિષહારણ છે. દર્શનશુદ્ધ થતાં પ્રવૃત્તિમાં શુદ્ધિ આવે છે. આત્મા દુ:ખભીરૂ હોય તો શુભક્રિયાનો આધાર આપી અશુભના ફળથી બચાવે છે, તેને ધર્મ માનવા લાગે તો લોભાદિ કષાયોમાં બંધાઈ જાય. આજે ધર્મમાં લાલચનું પ્રાધાન્ય છે. સુખાભિલાષી જીવો એને ધર્મ માની લે છે. એવો ધર્મ કરીને સંતોષ માને છે. એવી ધર્મ પ્રવૃત્તિથી દૂર રહેનાર અધર્મી મનાય છે. નિવૃત્તિ અને એકાંતને ધર્મ માનવામાં આવતો નથી. તેને ધર્મક્રિયા માનવામાં આવતી નથી. નિવૃત્તિમાં આત્મ શુદ્ધિ કરીને જીવ દોષોથી હળવો થાય છે. વિચારોના વમળ શાંત થવાથી યોગો સ્થિર થાય છે. પ્રવૃત્તિયોગ ચાલુ રહે ત્યાં સુધી આત્માને સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૪૯ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy