SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારીનો દયાભાવ તે દુઃખપૂર્તિ છે. જ્ઞાનીની કરૂણા આત્મપૂર્તિ હોય છે. પૌદ્ગલિક સુખદુ:ખ બંને ભાવથી પર હોય છે. ભાવમાં કરૂણાઅનુકંપા, કર્તવ્યમાં સહજ ફરજ હોય છે. જગતના જીવો સ્વાર્થ ખાતર અન્યોન્ય પ્રેમ રાખે છે. દયાભાવ રાખે છે, તેમાં મોહ હોય છે અને અદલા બદલાની આશા છે તે અજ્ઞાન છે. જ્ઞાની જગતના અસંખ્ય જીવો સાથે સંબંધમાં આવે પણ કોઈની સાથે મોહથી બંધાતા નથી. જે કર્મ કે ભાવ વડે સંસારનું ઉપાર્જન થાય તેમાં કોઈ કરૂણા નથી. કોઈ રોગીની સુશ્રુષા કરવી તે અનુકંપા છે. પણ મોહભાવે ગમે તેવા હિંસક ઉપાયો યોજવા તે અજ્ઞાન છે. નિશ્ચયભાવે કોઈ એવો અર્થ લે કે કોઈ કોઈની દયા કે અનુકંપા રાખી શકતું નથી, તે ભૂલ છે. કરૂણાભાવમાં જીવમાત્રની શાંતિની ભાવના છે. જેમ પોતાને કોઈ સહાયક થાય તો ગમે છે તેમ અન્ય માટે વિચારવું, લાગણીવશ થઈ દેહના મમત્વમાં ન પડવું. જીવને જે પ્રકારે પોતાના દેહનું સુખ વહાલું છે તે પ્રકારે એકેન્દ્રિય જીવોથી માંડી સર્વ જીવો પ્રત્યે ભાવ રાખવો જોઈએ. લાગણીવશ થઈ મોટા જીવનું ભલુ કરવામાં નિરપરાધી જીવોનો ભોગ ન લેવો. તેમ કરવાથી શરીરની અશાતા ઉભી થાય છે. એકેન્દ્રિયાદિ જીવો પાસે રક્ષણના સાધનો ઓછા છે. તેની અને આપણી વચ્ચે પુણ્ય પાપનો સરવાળો વધતો ઓછો છે, તેમ લાગે છે, પણ સમ્યગ્ વિચાર રહિત કાર્યોની પ્રવૃત્તિ થાય છે ત્યાં આ સરવાળો બાદબાકીમાં પરિણમશે. મોટા જીવને બચાવવા નાના જીવોનો ભોગ લેવામાં પાપ છે તેવી મનોવૃત્તિ આજે નષ્ટ પ્રાય થઈ રહી છે, તે જીવો શું સુખ મેળવશે ? શરીરની શાતા અને નિરોગીતા માટે જ્ઞાનીઓએ વ્રતાદિનો સાચો માર્ગ બતાવ્યો. પૂર્વની ભૂલ સૂધરે અને ભાવિ પણ સુધરે. તે વસ્તુતત્વ આજે વિસરાઈ ગયું છે. મનુષ્ય વધુ શક્તિવાળો તેમ નિર્દય બનતો ગયો, અને ચોથા આરાનું વિસર્જન કર્યું. જે ધર્મથી જીવ સદા માટે ભય, ભવ અને રોગમુક્ત થતો તે ધર્મ વિસરાઈ ગયો. દેહ સંભાળવાની દોડમાં, ભાવિની ચિંતામાં જીવ ભૂલો પડયો છે. જૈન એટલે દુઃખ મુક્ત થાય અને અન્યને દુઃખ મુક્ત કરે. દેહ સંબંધ છૂટે ત્યારે આત્મસંબંધ પ્રગટે છે. ગુણયાત્રા પરમાર્થ પ્રેરક છે. મનાદિ ત્રણે યોગો ચંચળ છે, કારણ કે તે પૌલિક છે. તેથી તેનું ૨૪૮ Jain Education International For Private & Personal Use Only સ્વરુપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy