SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના કર. મોક્ષ નથી તેમ માની પુણ્યના મોહમાં ન પડ. સૌને પરિગ્રહની મૂછ થઈ છે. શ્રાવક-સાધુ સૌને એમાં પ્રિયતા લાગી છે. ધનોપાર્જન એવી રીતે થાય છે કે તેમાં જીવ જડતા પામે છે, સંયમનો ભાવ ઊડી જાય છે. સૌને દેવલોક પ્રિય થઈ પડ્યો છે તેથી વ્યવહારમાં મૃત્યુ પછી એવી ભાષા વપરાય છે કે દેવલોક થયા. દેવપદને મોટું પદ માને છે. સધર્મમાં તો તે એક સંસાર મનાયો છે. સુખની, શાતાની, ભોગની આસક્તિ ટળી નથી તે સુખ ઈચ્છે છે. ગમે તે સાધન કે સંયોગમાં આસકિત ઘટવી જોઈએ. સુખ અને દુઃખ, પુણ્ય અને પાપથી અભેદભાવ આવવો જોઈએ. પુણ્ય પણ ત્યાગ માટે છે. ભગવાન જેવા પુણ્યાત્માનું અનુકરણ ન હોય. ભગવાને વરસીદાન દીધું. તેમ દીક્ષાર્થી હાલ દાન આપે છે, એક હાથે દેવા માંડે અને બીજે હાથે લેવા માંડે તો પરિગ્રહની મૂછ જાય નહિ સાધનો અને ઉપકરણોનો ફેરફાર થાય. ઈચ્છાનો નાશ ન થાય જ્ઞાનીઓએ કરેલી ક્રિયાના બાહ્યસ્વરૂપ સાથે અંતરસ્વરૂપ ગ્રહણ કરવું. મનને જીતવું દુર્લભ છે તેથી તેવો પ્રયત્ન જ થતો નથી. ક્રિયાધર્મથી તે સાધ્ય થતું નથી. કેટલાક જીવો વિષયોને જીતવાની વિચારણામાં કેવળ આત્મધર્મને અનુસરીને ક્રિયા ધર્મને ગૌણ કરે છે. શ્રાવકને માટે દાનાદિ બાહ્ય ક્રિયા જરૂરી છે, અને સાથે અંતરશુદ્ધિ જરૂરી છે. સધર્મ આરાધન સમ્યકત્વ સાથે હોય છે. અજ્ઞાનવશ શુગાંરિક રસમય ક્રિયાઓ યોજાય છે. તે સધર્મ નથી. જીવન અપ્રમાદી બને તે દશાનો અનુભવ જાગૃતિ દ્વારા થઈ શકે છે. સંસાર ભ્રમણથી થાકેલો જીવ પ્રવૃત્તિનું પરિવર્તન કરે છે. અને પ્રથમ સમ્યકત્વ સાધે છે. દેવગતિમાં જાય તો ય ત્યાં સત્ની રુચિને જાગૃત રાખે છે. દેવાયુ મિથ્યાત્વી અને અભિવ્ય પણ પામે છે. પરંતુ તે જીવો મિથ્યાત્વ સેવે છે. અંતે અસદ્ગતિ પામે છે. સમકિતી દેવગતિમાંથી છૂટવાની વૃત્તિ રાખે છે. જૈનધર્મના કર્મોના સિદ્ધાંતોમાં આત્મા અને પુદ્ગલની સમજ વિષે ઘણી સ્પષ્ટતા છે. દેવ, ગુરુ, ધર્મ, તત્ત્વની શ્રદ્ધાનું પ્રાધાન્ય છે. દેવ, ગુરુ, ધર્મ, પ્રત્યેની શ્રદ્ધાએ જીવ સતુ પામી શકે છે. સમ્યકુદૃષ્ટિ પ્રાપ્ત થતાં તત્વના હેય, ક્ષેય અને ઉપાદેયના આચારને સમજે છે. જેનપણું આરાધે અને અનંત સંસાર રહે તેવું બને નહીં. સંસારમાં રખડતો મિથ્યાત્વી પણ સ્વરૂપ અવલોકન ૨૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy