SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ શુદ્ધિથી મુક્ત થાય છે. સંસારમાં સુખ બુદ્ધિવાળા જીવો ગાઢ મિથ્યાત્વમાં જાય છે. તેવું અનાદિકાળથી ચાલે છે. અશુદ્ધિને કારણે તેનો નાશ થતો નથી. અસત્કર્મોનું ઉપાર્જન જીવ પોતે જ કરે છે, ધર્મની ક્રિયા કરે છે તેમાં ક્રિયાઓ બદલે છે પણ એકમાં આત્મ અનુભવ થતો નથી અને એમ જીવનો સમય ચાલ્યો જાય છે. સત્ સાધન પકડીને થોડું પણ ધીરજથી આગળ વધવું. હું એક અવિનાશી આત્મદ્રવ્ય છું, જૈનકુળ અને અનુકૂળ ક્ષેત્રાદિ મળ્યાં છે. મારે પહાડો ઉથલાવવાનું પરાક્રમ કરવાનું નથી. કેવળ આ દેહમાં રહેલા મન અને બુદ્ધિના વલણનું પરિવર્તન કરવાનું છે. જ્ઞાનીઓએ તે માર્ગ બતાવ્યો છે. તેનું લક્ષ કરે આગળ વધાય. તેને બદલે અનેક પ્રકારના તપ, ક્રિયાદિમાં પડે. સુધારણા પછી કરીશું તેમ વિચારે તો બધી ક્રિયાઓ લક્ષ સાધ્ય ન થાય. આ મનુષ્યજન્મ પૂર્વે, અનંત વાર મનુષ્યજન્મ ધારણ થયા છે. બાળચેષ્ટાએ હજી જન્મ મરણ ચાલુ છે. મૈને કેળવવાનાં નથી, કાળને કેળવવાનો છે. મનુષ્ય થઈને સમાર્ગ ન પામું તો બીજી કોઈ ગતિમાં તેની શક્યતા નથી. આ કાળ એક અવસર છે મહા પુરુષાર્થની જરૂર છે. અહીંથી એવે પ્રકારે છૂટું કે ફરી અહીં આવવાનું જ ન થાય અને ભ્રમણ ટળે. સુખ મેળવવા મથે છે. દુઃખ આવીને ઊભું રહે છે આમ કર્મની ઘટમાળ ચાલે છે. ધર્મ કેવળ ધાર્મિક ક્રિયામાં જ સમાઈ જતો નથી. આહાર સમયે લોલુપતાથી અલિપ્ત રહેવાનો ઉપયોગ, જરૂરિયાત પ્રમાણે અલ્પ હિંસા થાય તેવો ઉપયોગ, વાણીમાં સત્ય, વર્તનમાં સમભાવ આ સર્વે ધર્મક્રિયાઓ છે. સંસાર પ્રયોજનોમાં સુખબુદ્ધિ રહે, અસત્યાદિ થાય તો તે આર્તધ્યાન છે. ધર્મધ્યાન માટે કોઈ મુક્ટર સ્થાન નથી. આત્માનું ઉપયોગમય નિયમથી રહેવું તે ધર્મધ્યાન છે. તે કઠણ લાગે છે. એથી આર્તધ્યાન હાજર રહે છે. આત્માની અનંત શક્તિ છે તેના સામર્થ્યનો અનુભવ પુરુષાર્થ વડે થાય છે. આયુષ્યકર્મ જીવમાત્ર ભોગવે છે. શાસ્ત્રમાં ધર્મકૃત વિષયો દર્શાવ્યા છે. અને સંસારનું સ્વરૂપ દર્શાવ્યું છે. આયુકર્મનો બંધ ક્ષાયિક સમકિતી સિવાય પ્રાયઃ મિથ્યાત્વમાં પડે છે. સમકિતી હોય તો પણ આવું બનવા સંભવ છે કારણકે ક્ષયોપશમ ભાવદશાની ચડ-ઉતરમાં મિથ્યાત્વ જોર સ્વરૂપ અવલોકન Jain Education International ૨૩૧ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy