SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છતાં જ્ઞાન દર્શનની આરાધના પ્રથમ કહી, જેથી અજ્ઞાન દૂર થતાં શુદ્ધ ચારિત્ર ભાવ પ્રગટે. જગતમાં આવો શુદ્ધ ચારિત્રનો ઘણો અલ્પ અંશ જોવા મળે છે. આંતર રીતે ક્રોધ, માન, માયા, લોભ જેવી પ્રકૃતિનું સેવન ન છૂટે તો દ્રવ્યસંયમીને પણ ભાવ સંયમ દુષ્કર થઈ જાય. બાળ બ્રહ્મચારી હોય કામને જીત્યો હોય પણ માનને ન જીતે. સ્ફુલિભદ્ર જેવા પ્રાતઃ સ્મરણીય કામ વિજેતા જ્ઞાનના અહમ્ આગળ ઝૂકી ગયા. પોતે બાળ બ્રહ્મચારી છે તેવું ભાન-માન ઉપજાવે. નામ આગળ તેવો શબ્દ પ્રયોગ કરવામાં ૨સ આવે, નામ આગળ કેટલીય ઉપાધિનાં નામો લખાય, તો દુષ્કર એવું ચારિત્ર અને બ્રહ્મચર્ય જેવા મહાન તપને અંતે પણ જીવ તેની સમગ્રતા ન પામે. બ્રહ્મ એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાનમય દશા, એ જ્ઞાનદશા એવી સ્થિર હોય કે પહાડને કંપાવે પણ જ્ઞાની ન કંપે. પૂર્વથી ચાલી આવેલી પ્રકૃતિનો સુધાર કરીને આગળ ચાલે તો યોગીજીવન પ્રગટે. આજે મતિજ્ઞાનની શુદ્ધતાનો અભ્યાસ જોવામાં આવતો નથી, મતિ એટલે મન અને ઈંદ્રિયોની સહાયતથી થતું જ્ઞાન. એક મકાન દૃષ્ટિગોચર થયું, તે મતિજ્ઞાન છે તે ઘર કે મકાન છે તેમ સ્પષ્ટ થયું તે શ્રુતજ્ઞાન થયું. તેમાં મારાપણું, સારા ખોટાપણું થયું તે મતિઅજ્ઞાન થયું. તેવું મેળવવાની પ્રાપ્તિના વિચારો તે શ્રુત અજ્ઞાન થયું. આવું અજ્ઞાનનું દુઃખ ઊભું કરનાર અનાદિકાળનો અભ્યાસ જીવે કરેલો છે. માટે પદાર્થનો મોહ છોડી જીવે જ્ઞાન આરાધન કરવું જોઈએ. જ્ઞાન અજ્ઞાન જીવના બે પાસાં છે. એકની અનુપસ્થિતિમાં બીજાની ઉપસ્થિતિ હોય છે. માટે ઉપયોગપૂર્વક જ્ઞાનને હાજર રાખવું. ધની, જ્ઞાની, ત્યાગી સૌને લોકો માન આપશે. અજ્ઞાનથી કોઈ બચાવશે નહિ અજ્ઞાનથી બચાવનાર કેવળ સત્ દેવ, ગુરુ અને ધર્મ છે. સંસારના કાર્યમાં વિઘ્ન આવે, અંતરાય આવે ત્યારે તે દૂર કરવા કેવો મથે છે ? અને પરમાર્થમાર્ગે બધો જ યોગ છતાં અંતરાયને માનીને પ્રમાદ સેવે છે. સારાંશ : આ કાળે મોક્ષ નથી, તેમ જે નિર્ધાર કરે તે મોક્ષમાર્ગનું આરાધન કરી ન શકે. ખરેખર તો જેને સંસારનું કાર્ય ઘણું ગમ્યું છે. તેનો મોક્ષ ન હોય. આ ક્ષેત્રે ન હોય તો ક્ષેત્ર બદલવા જેવું કાર્ય કર, અને મોક્ષની સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૨૯ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy