SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ ન વધાય. સ્વભાવથી પાછો ફરે એટલે ચારિત્ર મોહનીયનો ઉદયકાળ ભોગવવો પડે. તેમાં અંતરાયકર્મ હાજર હોય. કર્મને છેદવાની તીક્ષ્ણતા તે વ્રત છે, એવા વ્રતને ધારણ કરે તે વ્રતધારી. જગતની અલ્પ પણ સુખેચ્છા રહે તો વ્રતનો ભાર વહન કરનાર થાય. નિર્મળ દૃષ્ટિ પ્રાપ્ત થતાં દર્શનના અંતરાયો દૂર થાય, ત્યાર પછી કષાયરસ મંદ પડે. વર્તમાનમાં ઉપયોગ જાગૃત રહે જેથી કર્મબંધ શિથિલ થાય. પુદ્ગલ સંબંધના ત્યાગમાં દુઃખવૃત્તિ ન રહે. ગુણસ્થાનક એ ભાવ અનુભવની જાગૃત સ્થિતિ છે. પ્રથમ ગુણસ્થાનકે વિભાવદશા હોય અને બાહ્ય ક્રિયાથી સ્વભાવગત માને તો મહા અધર્મ થાય. શ્રાવકને જાગૃતિ કે સાધુતા કેળવવા પૌષધ જેવી શુદ્ધ ક્રિયા આપી, પોષધમાં અંતરશોધન કરે, દોષોને ત્યજે, કયારે પૌષધ પૂરો થાય અને સંસારના અધુરાં કાર્યો પૂરાં કરું તેવું ન ઈચ્છે. પૌષધ છોડી સંસારના વ્યવહારમા જતાં ક્ષોભ પામે, કે આ વ્રત લાંબો સમય ટકી શકતું નથી. વળી કયારે ફરી આવું વ્રત કરું તેવી ભાવના રાખે. દુઃખથી ઘેરાયેલા જીવોને સુખ જોઈએ છે તેથી ધર્મને લાલચનું સ્થાન બનાવી દીધું છે. ધર્મ તો શુદ્ધતત્ત્વ છે. દેહ છે ત્યાં સુધી ઈદ્રિય અને મન સાથે રહેવાના, અને તે તેના વિષયો સાથે રહેવાના, પરંતુ ભોગ ભોગ્ય સંબંધનો ભાવ ન રહે તો ઈંદ્રિયગત્ વિષયોનું તાદાત્મ્ય તૂટે. કંઈક ભોગવવાની ઝંખના થઈ તો આર્તધ્યાન રહેશે. યાત્રાએ જનારા ફરી યાત્રાએ આવે ત્યાં સુધી કોઈ પદાર્થનો ત્યાગ કરે છે. એકવાર આવા ત્યાગની રુચિ થઈ પછી યાત્રા કરીને ત્યાગમાં વધુ દેઢ થાય. અંતરમાંથી તે પદાર્થ છૂટયો ન હોય તો ફરી યાત્રાએ જાય અને વ્રતી રહેવાને બદલે અવ્રતી થાય. પદાર્થ છોડવાને માટે આવા નિયમો અભ્યાસ માટે આપ્યા, અભ્યાસ દેઢ કરવાને બદલે પદાર્થની છૂટ થતાં બરાબર રસ લઈને તેનો ભોગ કરે તો વિષયોથી દૂર ન જવાય. સંયમ ગ્રહણ કર્યા પછી પરિગ્રહ ભેગો કરવાની શી જરૂર ? ચારિત્ર ગ્રહણ નિષ્પરિગ્રહી થવા માટે કર્યું છે. પદાર્થની આસક્તિ એવી રહે અને ચારિત્ર ગ્રહણ કરે તો સ્થાન કે સાધનો બદલાય, વૃત્તિ ન બદલાય. ચારિત્રનો હેતુ ભોગનો અભાવ છે. દેહ અને ઈંદ્રિયોને દમે પણ બાહ્યક્રિયામાં કશું કરી માન મેળવવાની વૃત્તિ ન છૂટે તો ભાવસંયમ ન આવે. ઉપદેશ કાર્ય ૨૨૮ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy