SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આવે ને આત્મા ત્યાંથી પાછો વળે છે. પણ દૃષ્ટિરાગમાં ધર્મનો ભાવ છે તેથી જીવ ભ્રાન્તિ સેવે છે. ગૌતમ જેવા ગણધર પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગમાં અટકયા હતા. તો આપણું શું ગજું? આપણું પ્રશસ્ત રાગનું જ ગજું ક્યાં છે ? દૃષ્ટિમાં સમતુલા ન હોવાથી રાગદ્વેષના ભાવે દુનિયા અવગુણમય જણાય છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ હોય અને રાજય કારભાર સંભાળે તોય આત્મા સભાન છે કે આ મારું કર્તવ્ય નથી. પૂર્વનો ભાર પૂરો કરવાનો છે. ભગવાન વિચરતા હતા ત્યારે ઈદ્ર તેમની સ્તુતિ કરી અને સંગમે મહા-ઉપસર્ગ કર્યો તો ય સમાનવૃત્તિ ધારણ કરીને રહ્યા, ન પ્રેમ, ન તિરસ્કાર. પોતાની વૃત્તિઓ જય કરીને મહામનોજયી થયા હતા. વ્રતધારી હોય, બાહ્ય સંયમ હોય છતાં પ્રતિકૂળતા થતાં શાપ આપી દે તે ઋષિમુનિ નથી. જૈનધર્મના મુનિ કે સતીએ કોઈને શાપ આપવાનાં ઉદાહરણો મળશે નહિ પોતે મરણાંત ઉપસર્ગ સહન કરી લેશે. કોઈ જીવ મોહાધીન પ્રમાદી થયો તો નિયાણું કરીને અધોગતિ પામ્યો છે. આવો સિદ્ધાંત જૈન માર્ગનો છે. સતીને માથે કલંક આવતાં તે દૂર કરવા દેવો સહાય કરતાં અને તે સાધકોને જીવ છૂટી જાય તો ય ભય ન હોતો. બીજાના લ્યાણ માટે સતીઓ કલંક-રહિતપણુ પુરવાર કરતી. પણ શાપ ન દેતી. કષાયોથી બચવા સમતારૂપી મૂળ ગુણ સામાયિક છે. તેને બદલે કાલિક વિધિ સામાયિકની રૂઢિ થઈ, તેવી બાહ્ય ક્રિયા સાધીને જીવની દશાનું પરિવર્તન ન થયું. મનની ચંચળતાનો મોટો ભાગ ચક્ષુ રોકી લે છે. પ્રથમ ચક્ષુ પદાર્થને ગ્રહણ કરે છે. મન તેમાં રસ લઈને બીજી ઈદ્રિયોને લલચાવે છે. પદાર્થને જાણે પણ લોલુપ ન થાય તો ધર્મની લાયકાત વધે છે. પુદ્ગલ પરાસ્તનો છેડો શુદ્ધ ચારિત્ર છે. વાંછના રાખી પુદ્ગલભાવને પોષે તો ચારિત્ર દૂર રહે. ઉપયોગને સ્વભાવમાં ફેરવ્યા વગર આગળ ન જવાય. ઉપશમભાવમાં બે ઘડી સ્થિર રહી જાય તો અપ્રમત્તદશા પ્રગટે. તે બે ઘડી ટકે અને કાળાદિની સામગ્રી હોય તો ઊર્વશ્રેણિ માંડી પૂર્ણજ્ઞાનદશા પામે. બે ઘડીમાં અપ્રમત્ત દશામાંથી પાછો વળે તોય આત્મદશાને સ્થિર કરવાની ક્રિયામાં રહે. આત્મશક્તિને ફોરવ્યા વગર અને ર્મ પ્રકૃતિને ફેરવ્યા વગર સ્વરૂપ અવલોકન Jain Education International ૨૨૭ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy