SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારવી. સ્વ-પર-ઉભય ભાવો તપાસવા. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભાવિનાં કાર્યોનું અવલોકન કરવું. વળી જ્ઞાની પુરુષોનાં ચારિત્રોનું અવલોકન કરી, આપણી દશા વિષે વિચારવું. તેમના શુદ્ધિક્રમનું અવગાહન કરવું. અને પોતાની દશાની ક્ષતિનો વિચાર કરી તેને ટાળવા પ્રયત્ન કરવો. પરમ તત્ત્વોમાં અચલ શ્રદ્ધા રાખવી. ધર્મની હરેક ક્રિયામાં આત્મગુણનું વિસ્મરણ ન થવા દેવું. વિતરાગ પ્રતિમાની સામે બેસીને આજુબાજુથી રૂપ રસ ગંધાદિને ગ્રહણ ન કરવા. પરમસ્વરૂપની વિચારણા કરવી. એથી કર્મગ્રંથિ શિથિલ પડે. ઘણા વખતના તેવા અભ્યાસથી ઉદયકાળે કર્મનો રસોદય છતાં કર્મો વિરસ થશે અને જ્ઞાન-દર્શન ગુણના અંશો પ્રગટ થશે. પૂર્ણજ્ઞાન પહેલાંના બધાં સ્થાનકોમાં જ્ઞાનાવરણ રહે છે. તેથી મૂર્તિપૂજન માટે અરિહંત સિદ્ધની કે ચૌદમાગુણસ્થાનકની પ્રતિમાની સ્થાપના કરવી. તે પ્રથમના જીવન વૃત્તાંતમાં ગુણદોષોનું મિશ્રણ હોય તેથી શેયરૂપ કહ્યા. આરાધના અરિહંત અને સિદ્ધ ભગવાનના આલંબનથી કહી છે. દરેક આત્મામાં સત્તાગત સમ્યકત્વ હોવા છતાં મિથ્યાત્વની ભૂલ ટળ્યા વગર તે પ્રગટ થાય નહિ. પુદ્ગલ જીવને રખડાવે છે અને આત્મભાવને વિસ્મૃત કરે છે પુલભાવને વિરસ કરી નાંખી ખપાવી દો. વગર થાકયે આગળ વધો. પુદ્ગલસ મિથ્યાત્વને રસ આપે છે, પણ સમકિત પ્રગટ થતાં તે રસો ઊડી જાય છે. પ્રમાદ ઘટતો જાય છે. આહારાદિની ક્રિયામાં સ્વાદનો જય થતાં આહારનો જય થાય છે. પ્રથમ બળવાન કર્મપ્રકૃતિને શિથિલ કરો પછી તેની આજુબાજુની પ્રકૃતિ શિથિલ થશે. નિયમિત ઉપયોગ સહિતની ક્રિયાથી પુલભાવ ઘટે છે. દરેકમાં આંતરશોધન જરૂરી છે. ધર્મકથા શ્રવણમાં રસ આવે અને બોધ પરિણામ ન પામે, કરતો કંઈ દેખાય અને હોય કંઈ, એવી ભ્રાંતદશાથી વિકાસને બદલે વિકાર ઉત્પન્ન થાય. ત્યાગી ઉપદેશકનો સંગ કરે અને રાગમાં પડે. તેથી તેને દૃષ્ટિરાગ કહ્યો. દરેક ઈદ્રિયમાં પ્રથમ આંખ વસ્તુનું આકર્ષણ ઊભું કરે છે. તેનાથી દર્શનાવરણ ઊભું થાય છે. ઈદ્રિયભોગો સારા લાગે કામરાગ થાય. તે તે વિષયો મેળવવાની આકાંક્ષા, તે પ્રત્યેનો ભાવ સ્નેહરાગ થયો. ત્રિદોષ ટાળવાના છે. કામરાગ અને સ્નેહ રાગ સંસારીભાવ છે. સમાજમાં ૨૨૬ Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy