SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ માનાદિની ઈચ્છા થાય. આમ વિતરાગને ભજતાં રાગ ઉત્પન થવો સંભવ નથી છતાં આવા અંતરાય ઉપાર્જન કરીએ છીએ તે આશ્ચર્ય છે. આપણે વીતરાગના મુક્તિધર્મને માનીએ છીએ તેથી પ્રથમ અજ્ઞાન દૂર કરવું જોઈએ. તે પછી શુદ્ધ આરાધના થાય. કષાય છોડવા ન હોય અને આ માર્ગ આરાધવો તે શકય નથી. અનુભવજ્ઞાન સ્વસંવેદનરૂપ છે, તે ઉદયપ્રકૃતિને જાણે પણ તેમાં તદાકાર ન થાય. કર્મવાદને ઉદય અને અનુદય બંને પ્રકારે જાણવો. નયવાદથી શંકા સમાધાન થાય. ધર્મ કર્મને મિશ્રણ કરવાથી નિશ્ચય માર્ગનો લોપ થાય અને વ્યવહારશુદ્ધિ ટળી જાય. જે ક્રિયા નિવૃત્તિ તરફ લઈ જાય તે ધર્મ. ધર્મક્રિયા જ છે કે જે કર્મમુક્તિ કરાવે. પ્રમાદી થઈ સુખબુદ્ધિ રાખી શુભભાવમાં અટકયો તો દેવગતિમાં જઈ દીર્ઘકાળ વિતાવવો રહ્યો. આ કાળના દુઃખ કરતાં દેવલોકનાં સુખ સારાં એમ વ્રતધારી ન ઈચ્છે. વ્રતધારી સિવાય સામાન્ય જીવો માટે દેવગતિ સહેલી નથી. અને દેવગતિ એટલે ભોગભૂમિ. સાચો વ્રતધારી એવી દેવગતિમાં જવા ન ઈચ્છે. એટલે વ્રત સંયમાદિ શુદ્ધભાવે મુક્તિ લક્ષે પાળે. વચ્ચે વિસામો લે તોય મહાવિદેહ જેવા ક્ષેત્રમાં લે. આપણને સમકિત છે તેનો વિશ્વાસ ખરો? આપણે ભ્રમમાં રહીએ એટલે મિથ્યાત્વ હાજર રહે. જે આત્મા આવા મિથ્યાત્વને જાણે છે તે તેનું શોધન કરી સમક્તિ પામી શુદ્ધિ પ્રત્યે વળે છે. પ્રથમ સમકિતમાં ઉપયોગ સ્વાધીન રહે છે. ક્ષાયિકમાં સહજ સ્થિતિ રહે છે. પ્રથમ વ્રતાદિ કરી લઉં પછી સમક્તિ પ્રાપ્ત થશે તેવા ભ્રમમાં ના રહેવું. તેમ કરવાથી વ્રતાદિનું કષ્ટ નિષ્ફળ જશે. માટે પ્રથમ શુદ્ધિમાર્ગ લેવો. ઉપલમિક કે ક્ષયોપથમિક સમક્તિ પછી જીવે ઘણો વિકાસ કરવાનો બાકી રહે છે. લાંબો કાળ સમક્તિ અને મિથ્યાત્વની વચમાં નીકળી જાય છે. આત્માએ કષાયજય કરી જ્ઞાનદશા તરફ આગળ વધવાનું છે. સંસારભાવની રુચિ કે ઉદય હોય તો પણ મનને પાછું વાળવું. જેથી આત્મભાન પ્રગટતું રહે. સંસારભાવ એ મારું કાર્ય નથી. તેમ વિચારે વિરસ થવાથી કર્મ પાછાં વળશે. મને સમકિત દશા વર્તે છે કે શું? તેવું વિચારવા ગુણ અવગુણને તપાસવા. મન, વચન, કાયાના યોગોની ચંચળતા સ્વરૂપ અવલોકન ૨ ૨૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy