SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ જો નેમકુમાર પરણવા જઈને પાછા ફરી મુનિ ન થયા હોત અને પોતાના રાજયમાંથી સીધા ચાલી નીકળ્યા હોત તો રાજમતિને આટલો ઊહાપોહ ન થાય તેવું બને. નેમકુમારને જોયા. પૂર્વની પ્રીતથી આકર્ષાયાં. અને નેમકુમાર ચાલી જતાં, તેના દુઃખમાંથી જાગૃત થઈ મુક્તિમાર્ગે જવા કટિબદ્ધ થયાં. જે જે યોગો નિર્માણ થયા હોય તે પ્રકારે તેનો ઉદય થાય. માટે કર્તા અને ભોકતાપણાના ભાવથી જીવે નિવૃત્ત થવું. પ્રારબ્ધને સ્વીકારીને વિવેકપૂર્વક તે સંયોગોમાંથી બહાર નીકળી મૂળ માર્ગને પકડવો. ત્યારે અંતરાયકર્મ ક્ષીણ થાય. દરેક ધર્મભાવના નિર્મળ ચિત્તથી સેવવી જોઈએ તો અંતરાયકર્મ ક્ષીણ થાય. આત્મશકિત પ્રગટ થાય. અંશે જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થતાં કષાયનાં કારણો દૂર થતાં રહે છે. સંસારીને વિભાવદશા અનાદિની છે. સંસાર રહે ત્યાં સુધી કર્મની બંધનમુક્તિ ચાલ્યા કરે છે. કેવળજ્ઞાની ભગવંતોને અઘાતી ચાર કર્મો આયુષ્ય સુધી સાથે રહે છે. પણ તે જીવન સ્વરૂપમય છે. પૂર્વાવસ્થામાં તે જીવોએ પૂર્વે કરેલી ભૂલો ઉદયકાળે હાજર થઈ ત્યારે તેને પૂર્ણ પુરુષાર્થ વડે સમભાવે ભોગવી લીધી. તે ભોગવટામાં ફરક હોય છે. કર્તા અને ભોક્તાભાવ નથી. અબંધ દશા વર્તે છે. કર્મો તેના સ્વભાવે પરિણમે છે અને આત્મા જ્ઞાન સ્વરૂપમાં લીન રહી પોતાના જ્ઞાનદર્શનાદિ ગુણને ભોગવે છે. વૈરાગ્યદશા આવતાં આ વાત સ્પષ્ટ થઈ જાય છે, કે ભોગ્ય શું અને અભોગ્ય શું? નિત્ય-અનિત્ય, કર્તા-હર્તા, ભોક્તા-અભોક્તા વગેરેનું જ્ઞાન વર્તે છે. આત્મા નિત્ય છે પણ પરિણામના પર્યાયંતરને કારણે વર્તમાનદશા અનિત્ય છે. પર્યાય વડે જ્ઞાન-અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અજ્ઞાન વડે કર્મનો કર્તા થાય છે. અને જ્ઞાન પ્રગટ થતાં કર્મથી મુક્ત થાય છે. અંતરંગપણે સમયે સમયે કર્મબંધનમાં જીવને કંઈ નવરાશ જ નથી. આ કરું તે કરે તેવી ક્રિયામાં મૂંઝાયેલો રહે છે. મહા આરાધક એવા જીવોએ શુદ્ધ ક્રિયા છતાં ભાવથી લોકકલ્યાણ ઈચ્છયું તેથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. તેનો સંબંધ પૂર્ણ કરી તે સિદ્ધપદને પામ્યા. તે નામકર્મને આપણે પ્રતિમા રૂપે ગ્રહણ કર્યું. પૂજાદિનો ભાવ કર્યો. પ્રભુને તેમાં કંઈ બાધકતા ન રહી. પણ જો આપણે લોભ લાલચમાં પડીએ તો અસત્ નામકર્મનું ઉપાર્જન થાય. દહેરાસરનાં રખવાળાં કરવા ઝઘડા થાય. સ્વરૂપ અવલોકન ૨૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy