SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં લાંબો કાળ વ્યતીત થાય છે. કષાય જન્ય દાનાદિનું શુભ પરિણામ આવે પણ બંધનમુક્તિ ન થાય. પરમાર્થથી અંતરાયકર્મનો ક્ષય થઈ દાનાદિ સહજ લબ્ધિઓ પ્રગટ ન થાય. કષાયજય માટે તેના ઉત્પત્તિસ્થાન વિચારવા. જ્ઞાન સહિત ક્રિયા ન હોય તો તે ક્રિયાથી કષાય જય થતો નથી. કષાયની લીલા વિચિત્ર છે. કષાયનો જય થયો કે પરાજય થયો તે ધર્મની બાહ્ય ક્રિયામાં સમજાતું નથી, એવી ભ્રાંતદશા થાય છે. લોક સમુદાયમાં પોતે ધર્મી કહેવાતો હોય તેથી કોઈનું અપમાન સહી લે, અને મનમાં અહમ્ સેવે કે લોકોમાં કેવી સારી છાપ પડી? વળી મનમાં તે જીવ પ્રત્યે દુઃખ સેવે, આવો કષાયજય તે પરાજય છે. જીવ કષાયની આવી લીલામાં ફસાય છે. દાન કરીને માનનો ભાવ રહે તે કષાય છે. તીર્થકરને ગૃહસ્થાવાસમાં અતિશય પુણ્યયોગ હતો. ધન ભેગું કરી દાનધર્મ કરી શક્યા હોત, પરંતુ તે દાનકર્મ સહજ ન હોય. તેમના પુણ્યાતિશયને કારણે તેઓને દાન માટે જે ધન દેવકૃત મળતું તેના વડે કોઈ જીવ દુભાતો નહિ કે આસક્ત થતો નહી. ઉપચારથી દાન આપ્યું કહેવાય, આજે ગૃહસ્થ મહા કર્માદાન અને કૂટરીતિ કરી ધન મેળવે પછી માન-યશ મેળવવા થોડું દાન કરે તે આત્માને શું બળ આપે? ધનથી ધર્મ શા માટે ? મોટાઈનો મોહ નથી છૂટતો તે માટે. પ્રભુએ સર્વસંગે પરિત્યાગ કર્યો અને આપણે તેના ભક્ત બની તેને નામે પુણ્યકાર્ય કરવા બધું ભેગું કરીએ. પછી તેની વ્યવસ્થામાં ગૂંચાઈએ. તેમાં ધર્મ ક્યાં રહ્યો ? આત્માના ગુણો પ્રગટ કરવામાં ધનની જરૂર કયાં પડે છે ? ધન છોડીને તો મહાત્માઓ નીકળી પડે છે. આત્મધર્મમાં આપણે વિશ્વાસ મૂક્યો ? ધર્મ પામવાની તારવણી આપણને આવડવી જોઈએ. દષ્ટાંતોનું રહસ્ય જાણવું જોઈએ. દષ્ટાંતો કષાયજય થવા માટે છે. જે તીર્થકરના ભવમાં જેમને યોગ હતો તે પ્રમાણે પરણવા ગયા અને પરણીને આવ્યા. નેમિનાથ પરણવા ગયા તો પાછા શું કામ ફર્યા? તેમને ત્રણ જ્ઞાન હતાં. આવો યોગ જાણતા નહિ હોય? ત્યાં સુધીની ક્ષેત્ર સ્પર્શના હતી, તે પૂર્ણ કરી. પશુનો પોકાર સાંભળી પશુતા દૂર કરવાનો માર્ગ ચીંધવા ચાલી નીકળ્યા. રાજુમતિ આ નિમિત્તથી જ મોહકષાયને જીતી શકયા. ધારો કે . . સ્વરૂપ અવલોકન Jain Education International ૨૨૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy