SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ યંત્રવાદે હિંસાનું તાંડવ સજર્યું છે. જ્ઞાનીઓ ત્રિકાળવર્તી હતા. તેમણે ઉપદેશ દ્વારા જનતાને ચેતવણી આપી અને હિંસક સાધનોનો ધંધા વગેરેનો નિષેધ દર્શાવ્યો. પણ અર્થલોભવશ જૈનો વિવેક ચૂકયા છે. જૈનધર્મી કહેવડાવનાર યંત્રવાદમાં પડયા છે. અને ચર્મઉદ્યોગ જેવા ધંધા કરીને રાજી થાય છે. વળી થોડા દાનાદિ કરી સંતોષ માની લે છે. રોજે પ્રભુમૂર્તિનાં દર્શન કરે અને જીવમાં કરુણા દયા ન સ્ક્રૂ. પછી અંતિમ સમયે મહાવેદના પામે ત્યારે જીવને ભાન ન હોય. સ્વજનો બૂમો મારી નવકારમંત્ર સંભળાવે અને શાસ્ત્રના ઓઠાં લે કે કોઈ જીવ મહાપાપી હતો પણ અંતિમ સમયે નવકારમંત્ર પામી દેવ થયો. દેવ થનાર જીવની પરિણતિ તો જ્ઞાની જાણે છે, કર્મ ભૂલ થાપ ખાતું નથી. એક બાજુ નવકારમંત્ર ચાલે બીજી બાજુ મૃત્યુને ઠેલવા છેક સુધી સોયા લગાવે. નવકારમંત્રની શ્રદ્ધા વગર સોયાની શ્રદ્ધા ઉપર કોઈ દેવ થયું નથી કે થતું નથી. અને થશે નહીં. જીવ ભાનમાં હોય તો ય જીવનકાળ દરમ્યાન સેવેલા મોહનાં કારણોની સ્મૃતિ થાય. જે સમકિત દૃષ્ટિ છે તે જીવો તો મૃત્યુ પહેલાં જ પોતાને દેહથી અલગ પાડી દે છે. પોતે સ્વતંત્ર આત્મા છે, નિત્ય છે તેવા ભાવનું સતત્ ભાન રાખે છે અને આત્મધર્મ પામીને વિદાય લે છે. સંસારી જીવને સંસારના વ્યવહારોમાં સુખદુઃખના ભાવો ઊઠયા જ કરે છે. ખરું દુ:ખ શું છે તે હજી તે સમજતો જ નથી. આત્મધન એળે જાય છે તેનું દુઃખ તેણે કયારેય અનુભવ્યું નથી. પોતાના કરેલા કર્મનું ફળ હાજર થાય ત્યારે તેને નિજદોષ માની સહી લે તો ભાર હળવો થાય, પછી ધર્મરુચિ થાય. અંતરાયકર્મ ખપતું જાય. ધર્મમાં પ્રવેશ કરતાં પહેલાં નીતિમય ધન કમાવું જોઈએ. અને નૈતિક ગુણો પણ જોઈએ. ગમે તે માર્ગે ધન મેળવી ધર્મમાર્ગે વાપરીને જીવ ધર્મ થયો માને છે તે મહાભ્રમ છે. વળી એવા દાન પાછળ સુખ અને યશ મેળવવાની ભાવના જીવને ધર્મથી દૂર ધકેલી દે છે, તેના કરતાં વધુ ધનોપાર્જન કરવું નહીં અને ધર્મ માર્ગે ધન વાપરવું નહિ તે સારું છે. પાપનું ધન વાપરે અને પુણ્ય ઈચ્છે, કદાચ તે ફળે તો પણ સંસારની ભોગતૃષ્ણા વધે છે. બાળક ઝેર માંગે તો કોઈ આપે ? જ્ઞાની કહે છે કે જીવો આવો ધર્મ કરી બંધને ગ્રહણ કરે છે. ૨૨૦ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy