SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્ય પરાયણ છે. આચાર્ય શુદ્ધ આચારનું પાલન કરીને સમાજને જ્ઞાનદાનઉપદેશ કરે છે. અરિહંત અતિશયો અને પૂર્ણજ્ઞાન દ્વારા જનકલ્યાણ કરે છે. સિદ્ધ સર્વ કર્મથી રહિત મુક્તિને વર્યા છે. પ્રાણી માત્રની એ યોગ્યતા છે. માનવ દેહનું ધ્યેય તે જ છે. મુનિઓના શરીર ટાઢ, તાપ અને પરિષહો જેવાં કારણોથી સહિષ્ણુ હોય છે. સંસારીનાં શરીરો સુખશીલતાને કારણે, વધુ સાફ રાખવાને કારણે કોમળ બને છે. તેથી પ્રતિકૂળતામાં શરીર ટકતું નથી. દેહભાવમાં જીવ એકાકાર થઈ જાય છે. પ્રાચીન કાળમાં મુનિઓના આહાર નિર્દોષ હોવાને કારણે મળમૂત્રમાં દુર્ગંછા થવા જેવું પ્રાયઃ ન હતું. યોગ વડે શરીરની શક્તિને વિકસાવવામાં આવે છે કે ગમે તેવો માર પડે તોય સહી શકે. જ્ઞાનીઓએ એવું બળ પોતાની સંયમ શક્તિ અને દેહભાવની અમૂર્છાને કારણે મેળવ્યું હોય છે જેથી કઠોર પરિષહ સમયે પણ ચલાયમાન થતાં નથી. દેહભાવથી પ્રકૃતિની શક્તિ મળે તેનો કોઈ હેતુ નથી. મગર અને કાચબાના શરીરની પીઠ ઢાલ જેવી મજબૂત હોય છે અને તેથી તેઓ તેવા ઉપયોગના ભોગ બને છે, એટલે મજબૂત પીઠ મળવા છતાં તે તે જીવો માટે અનઉપકારક છે. ધર્મનું મૂળ કર્મવાદ કે અણુવાદ નથી ભાવવાદ છે. ભાવનાબળ પર શુભાશુભભાવ પર જગત નભે છે. ભાવ પ્રમાણે કર્તવ્ય થાય છે. કુંભાર માટીમાંથી શું બનાવવું તેનો વિચાર-ભાવ કરે છે અને પછી કોડિયું કે નળિયા જેવા ઘાટ ઘડે છે. તેમ પ્રાણીમાત્ર ભાવ કરે છે તે પ્રમાણે પુદ્ગલપરમાણુ આકર્ષાય છે. અને વાતાવરણમાં તેની અસર પડે છે. આવા વાતાવરણ વિચારબળથી ઉત્પન્ન થાય છે. મનુષ્ય જેટલા શુદ્ધભાવો રાખશે તેટલું વાતાવરણ શુદ્ધ બનશે. કેવળ બાહ્ય ધર્મક્રિયા કરે અને શુદ્ધભાવ રહે તેમ બનતું નથી. સમ્યક્ સમજ વગર શુદ્ધભાવ સેવાતો નથી. ધર્મ કોને કરવો છે. ધર્મસ્થાનો તો થોડે થોડે અંતરે આવે પણ ધર્મ કયાં છે ? ધર્મ આત્મામાં છે બહાર નથી. જીવનશુદ્ધિ તે ધર્મનું પ્રથમ સોપાન છે. અંતરાયકર્મ દૂર કરવાની વિશેષતા છે. ધર્મસ્થાનો જીવશુદ્ધિ માટે મહત્વના છે. આજના યંત્રવાદે માનવને ભાવનાહીંન અને કૃત્રિમ બનાવ્યો છે. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૧૯ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy