SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિઓના કે શ્રાવકના તપ પછી જે રીતે પારણાં અને ઉત્સવ થાય છે તેમાં વૃત્તિઓ પોષાય છે. તપ પહેલાં અત્તરવાયણા અને પછી પારણાં કરી, માને કે સાધર્મીકની ભક્તિ કરી, ભક્તિ કરવી તે એક શુભભાવ છે. પરંતુ જે પ્રકારે આ વ્યવસ્થા થાય છે તેમાં તો વૃત્તિને પોષણ મળે તેવું થાય છે. ધર્મના નામે આવો વ્યવહાર જ કોઈ વાર કષાયમય થાય છે તેમાં કયાં તો લોભ હોય કે મોહ હોય. બાળપણથી જ બાળકોને લોભલાલચથી ધર્મ સમજાવવામાં આવે છે. પાઠશાળાએ જઈશ તો ગોળી આપીશ. નિશાળે જતાં તેવી લાલચ આપવામાં આવતી નથી. સંસ્કાર લાલચની શરૂઆતથી થાય પછી સમજ આવે કયાંથી? ધર્મની કોઈપણ ક્રિયામાં લાલચ અને ફળની આશા બતાવવામાં આવે છે, તેમાં વિચારવા જેવું છે કે જીવ ધર્મમાં આગળ વધે છે કે લાભ અને લોભમાં આગળ વધે છે. વળી શ્રીમંત હોય ને દાનધર્મ કરે તો ધર્માધિકારી થઈ જાય છે. તીર્થકરનું દાન અને ધર્મઆરાધના કેટલી? તેમણે ધર્માધિકાર કેવી રીતે મેળવ્યો તે વિચારવા જેવું છે. તેમનું નામ લેવાથી જીવ ધર્મ પામે એવા એ જન્મસિદ્ધ આત્માઓ કેવળજ્ઞાન થતાં પહેલાં સ્વયં ક્યારેય પ્રસિદ્ધ થયા નથી. અપ્રગટપણે વિચાર્યા છે. અને ગૃહસ્થાવાસ પણ તે રીતે સેવ્યો છે. તેનું અનુકરણ ન હોય. અહોભાવ હોય. જયાં સુધી જીવને શાતાની અભિલાષા છે ત્યાં સુધી અશાતા સાથે રહે છે. કર્મનો સંબંધ માત્ર બંધ છે. બંધનો શુભયોગ સુખરૂપે હોવાથી જીવે શાતાવેદનીય સુખરૂપ માન્યું. આથી શાસ્ત્રમાં તેને પુણ્યબંધ કહ્યો, જે અંતે ત્યાજય છે. કોઈપણ પ્રકૃતિ કષાયજન્ય હોય તેનાથી મુક્ત થવું, તે મુક્તિ છે. ક્રોધ કષાયને જીતીને જીવ સમાદિ પામ્યો હોય. પરંતુ તે ક્ષમા આત્મસ્વરૂપતા પામે ત્યારે કષાયનું મૂળ છેદાય. પરપદાર્થનો અસંબંધ તે સમભાવ-ક્ષમાભાવ છે. આપણે દુઃખભીરુ છીએ તેથી એમ માનીએ કે પ્રભુને બહુ દુઃખ પડ્યું. પ્રભુના ઉપસર્ગમાં આત્માનું સામર્થ્ય જોવાનું છે. પ્રભુ મહાવીર કેમ થયા? તે મહા દુર્જય ઉપસર્ગમાં અજેય રહ્યા. પૂર્ણજ્ઞાન પામ્યા અને શાતા-અશાતા બને કર્મથી મુક્ત થઈ નિજ સુખને પામ્યા. સંસારરૂપી બંધનમાં કષાય-ચારિત્ર મોહનીય બળવાન પ્રકૃતિ છે. સંસાર પ્રત્યે અરુચિ એ કષાયજય છે ત્રણે યોગ સંસારભાવમાં વર્તે છે સ્વરૂપ અવલોકન Jain Education International ૨૨૧ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy