SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણો છે. ત્રણેનું એક્ત તે મુક્તિ છે. જડ અને ચેતનની ભિન્નતાનું જ્ઞાન તે સમ્યગજ્ઞાન છે. તે જ્ઞાનની શ્રદ્ધા તે દર્શન છે. અને તે ગુણોમાં સ્થિર થવું તે ચારિત્ર છે. આ ઉપરાંત આ ગુણોના અનેક ભેદ છે. મિથ્યામતિ ટળે એટલે આ ગુણો પ્રગટે છે. બાહ્યાચાર કે સાધનમાં ઉપિયોગની શુદ્ધિ હોય તો સરળતા થાય છે. તપ એ નિર્જરાના હેતુ માટે છે. આહારાદિથી થતી હિંસા, તેમાં જીવ રોકાઈ રહેતો દેહ જ અંતરાય છે, તપ આરાધનથી અંતરાય દૂર થવાથી નિર્જરા થાય છે. અને આહારાદિમાં વૃત્તિ સંક્ષેપને કારણે સંયમ સહજ બને છે. આથી પુદ્ગલો સાથે વેરાનુબંધ મંદ થાય છે. આરંભના કાર્યમાં રોકાતો સમય સ્વાધ્યાયમાં ગાળવાથી જ્ઞાનનો વિકાસ થાય છે. તપ ફળની આકાંક્ષા વગર થવું જોઈએ. અનુકરણથી કરેલા તપથી નિર્જરા થતી નથી. નિષ્કામભાવે તપ કરવું. જૈન એટલે આરાધક. કર્મોની નિર્જરા કરે તે આરાધક-જૈન. રાગ અને દ્વેષ, મમત્વ અને અહમ્ એ અજ્ઞાનના સહાયક અંગો છે. અને અજ્ઞાનની જડ છે. રાગ દ્વેષ મંદ પડે ત્યારે મિથ્યાત્વ શિથિલ થાય છે. જેમ જેમ તત્ત્વ શ્રદ્ધા-રુચિ-અપૂર્વતા વધતી જાય તેમ તેમ સમક્તિનો સ્પર્શ થાય છે. તેના સ્પર્શ પછી પરભાવમાં જીવવું દુષ્કર છે. તેની રક્ષા માટે ત્યાગ, સંયમ અને સતત જાગૃતિ જોઈએ. સમક્તિના પાંચ પ્રકાર છે. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સાસાદન અને વેદન. ઉપશમ અને ક્ષયોપશમ સુધી પહોંચ્યા પછી છેક અગિયારમેથી જીવ પાછો પડે છે. કારણકે સાતથી અગિયાર સુધીના ભાવો અલ્પ પરિણામી હોય છે. ક્ષાયિક-ક્ષપક શ્રેણીવાળો આઠમેથી જ્ઞાનીના વચનના કે પૂર્વના જ્ઞાનના આશ્રયે જીવ ચઢતો ચઢતો બારમે પૂર્ણ વિતરાગદશા પામીને ચૌદમે મુક્તિને વરે છે. ક્ષપક શ્રેણીના આશ્રયે જીવ ગુણસ્થાનકને વમતો નથી. આ કાળે શયોપશભાવને અને ઉપશમભાવને સાધવાનું સામર્થ્ય રહ્યું છે. તેમાં સ્થિર થયેલો જીવ ભાવથી ક્ષાયિકભાવને પામે છે. ઔદાયિક તો દરેક જીવને વર્તે છે. સમયે સમયે ઉદય થાય અને જાય છે. તે મોક્ષસાધન માટે ઉપયોગી નથી. માટે ક્ષાયિક સમક્તિનું લક્ષ્ય કરવું. કર્મના પુદ્ગલ પરમાણુને ભાવમન દ્વારા ઉપયોગ ગ્રહણ કરે છે. તેવા કર્મોથી છૂટવા સમ્યગુચારિત્રની જરૂર છે. જ્ઞાન દ્વારા કર્મની પ્રકૃતિ - ૨૧ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy