SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવું જરૂરી છે. ઉંચ કે નીચ ગોત્રને આગળ કરી હીનપુરુષાર્થી બનવું નહિ. પરંતુ આત્મવીર્ય-શક્તિને શાસ્ત્ર કે ગુરુજનોના યોગે જાણવી, પ્રયોજવી અને ઉદય કર્મને દૂર કરી પરભાવને ત્યજી પરમતત્ત્વને પ્રાપ્ત કરવું. અંતરાયકર્મ આઠમું કર્મ છે. જે કર્મના ઉદયથી લાભાદિ હણાય તે અંતરાય કર્મ છે તેના પાંચ પ્રકાર છે. (૧) લાભાંતરાય (૨) દાનાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય (૫) વીર્યંતરાય. અંતરાયકર્મ જીવ સ્વયં પોતે જ અન્યને હાનિ, ઈર્ષા કે અંતરાય કરીને બાંધે છે. લાભાંતરાય : લાભ મળે તેવી વસ્તુ હોય, આપનાર હોય પરંતુ આ કર્મના ઉદયથી લાભ ન મળે. રાજાના આદેશ છતાં ભંડારી લાભ લેનારને વસ્તુ ન આપે, તેવી ઉપમાવાળું છે. પરમાર્થથી જીવને પોતાની જ શક્તિ પરમસ્વરૂપને પ્રાપ્ત કરવાની હોવા છતાં પોતે જ તેવું વીર્ય ફોરવે નહિ. તે લાભાંતરાય છે. દાનાંતરાય : દાન દેવા યોગ્ય વસ્તુ હોવા છતાં, સામે દાનની જરૂરિયાતવાળા જીવો હોવા છતાં આપવાની ઈચ્છા ન થાય. સુપાત્ર હોવા છતાં અંતરમાં ભાવના ન જાગે, તેમાં આ કર્મનો ઉદય છે. પરમાર્થથી આત્મા અનંત ગુણનો સ્વામી છતાં ગુણની પ્રાપ્તિ આ કર્મ થવા ન દે. ભોગાંતરાય : જે કર્મના ઉદયથી સંપત્તિ, શાતાયોગ હોવા છતાં ભોગવી ન શકે જે વસ્તુ એક જ વાર ભોગવાય તે ભોગરૂપ છે. જેમકે આહાર વગેરે, પરમાર્થથી આત્મામાં અનંત સુખ છે પરંતુ પરમાર્થ દૃષ્ટિના અભાવે પૂર્ણજ્ઞાનના અભાવે પોતે પોતાના આત્મિક અનંત સુખને ભોગવી શકતો નથી. તે અંતરાયકર્મ છે. ઉપભોગાંતરાય : જે વસ્તુ પુનઃ પુનઃ ભોગવાય તે જેમકે વસ્ત્ર, અલંકાર, તે આ કર્મના ઉદયથી ભોગવી ન શકે. પરમાર્થથી આત્મા અનંતગુણોનો સ્વામી છતાં ગુણની, સુખની ઊપજતી અવસ્થાઓ ભોગવી શકતો નથી. તે આ અંતરાય કર્મ છે. વીર્યાન્તરાય કર્મ : પુરુષાર્થ ફોરવવા સમર્થ ન બને. નીરોગી, યુવાન, બળવાન હોય પણ આ કર્મના ઉદયથી કોઈ કાર્ય કરવાને સમર્થ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૧૭ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy