SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ વાળું છે. તેથી તેના શુભાશુભ ઘણા ભેદો છે. ગોત્રકર્મ નામકર્મ જેવા વિવિધ ભેદોવાળું નથી. જો કે શરીર પ્રાપ્તિ પછી ગોત્ર એ મહદ્અંશે વ્યવસ્થા છે. છતાં ઉચ્ચ ગોત્રીને જન્મથી ધર્મના સંસ્કાર મળવા કે ભાવિમાં મળવાની ઘણી શકયતા છે. ઉચ્ચગોત્ર મળીને પણ જો જીવ આત્મકલ્યાણ ન કરે તો તે કહેવા માત્રથી ઉચ્ચ ગોત્રવાળો છે. અને પરિણામે અનુબંધ નીચ ગોત્રનો થાય છે. માટે ગોત્રકર્મને પણ સમજવા જેવું છે. પૂર્વ કર્મને યોગે નીચ ગોત્રમાં જન્મેલા જીવો પણ પરમાત્માનું શરણ પામીને તરી ગયા તેમને ગોત્ર નડયું નહિ. અને ઉચ્ચગોત્ર પામી જીવો મોહવશ આત્મકલ્યાણ સાધી ન શકયા તેવા દષ્ટાંતો મળે છે. બોધઃ ગોત્રધર્મને સમજીને જીવે ઉચ્ચકુળનું માન અભિમાન કરવા જેવું નથી પણ ધર્મમાર્ગને આરાધી ગોત્રકર્મને જ નષ્ટ કરવાનું છે. નીચકુળમાં જન્મેલા જીવે આ જીવનમાં ગુણોને અપનાવી સદ્ગુરુના સાન્નિધ્યમાં રહી ધર્મ સંસ્કારનું સિંચન કરીને આ જન્મને જ ઉચ્ચગોત્રી બનાવવાનો છે. વાસ્તવમાં આત્મના મૂળસ્વરૂપમાં કશું ઉચું નથી કે નીચું નથી. હલકું નથી કે મારે નથી. આ કેવળ પૂર્વકર્મનો ઉદય અને વર્તમાનની વ્યવસ્થા છે. જીવ, સ્વરૂપલક્ષે ઉચ્ચકુળને નિમિત્તે પરમાર્થને સાધી લે, અને નીચકુળને ગૌણ કરી સુસંસ્કારના બળે પરમાર્થ સાધી લે તેમ વિચારવું. સાધકે કોઈને ઉંચ કે નીચપણે જોવાના નથી પણ સમાનભાવે જોવાના છે. ચારે ગતિના માધ્યમથી વિચારતા નરકગતિ નીચ ગોત્ર યુક્ત છે તિર્યંચમાં હાથી જેવા પ્રાણી ઉચ્ચગોત્રમાં ગણાય છે. અને સર્પ જેવા પ્રાણી નીચગોત્રમાં ગણાય. મનુષ્યમાં ઉચ્ચ અને નીચ ગોત્ર બંનેનો ઉદય હોય છે. દેવ લોકમાં ઉચ્ચ ગતિરૂપ છતાં નીચેના દેવલોકમાં માત્ર ભોગવૃત્તિવાળા જીવો નીચ ગોત્રી જેવા છે. જયાં ગોત્રભેદ નથી તે તો માત્ર પંચમગતિ છે. અંતમાં જન્મમરણના ફેરા ટળવા સાથે આ ઉંચનીચની શ્રૃંખલા પણ સમાપ્ત થાય છે. આપણે જૈનધર્મના અનુયાયીઓ છીએ. કર્મશુદ્ધિ કરવાના ધ્યેયમાં આવી ભૂલ ન થાય. તીર્થકરો અસહ્ય સ્થિતિને આત્મસામર્થ્ય અને સમતારસ વડે સહ્ય બનાવતાં. આત્માને અસહ્ય જેવો કોઈ ભેદ નથી. પોતાની કરણીના ફળનો ઉદય છે. જેવી કર્મ બાંધવાની તાકાત છે તેવી છોડવાની છે. તે સ્વરૂપ અવલોકન ૨૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy