SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કરે. અંતરમાં મોહ હોય. આમ જીવ અનંતકાળથી ભ્રમિત થઈને સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યો છે. સાધુ અને શ્રાવક યશ નામકર્મમાં ભૂલા પડયા છે. તેમાં રસની પૂર્તિ કરી મોહમાં પડે છે. યશથી મનુષ્ય શ્રેષ્ઠ ગણાય છે તેવી માન્યતામાં અશુદ્ધિ ભળે છે. યશની વાંછા મૂકી, જેણે સત્યશીલ આદિ વ્રત આત્માર્થે સાધ્યા છે તેવા સુદર્શન કે શાલિભદ્ર જેવાનાં ગુણગાન પ્રાતઃ સ્મરણીય છે. ચાર દિવસના ચાંદરણા જેવા ઈચ્છેલા યશગાન વ્યક્તિના જવા સાથે સમાપ્ત થાય છે. અથવા જીવતાં પણ અપયશમાં ફેરવાઈ જાય છે. લોકોને ખુશ કરવા કે વાહવાહ કરાવવા થતી ક્રિયાનું એ પરિણામ છે. ધર્મ પામવા વ્રતો કરી, સમય પસાર કરવા, લોકોને ભેગા કરવા ઉત્સવ અને રાત્રીભાવના ગોઠવે. તેને બદલે રાત્રી સ્થિરતા અને ધર્મ આરાધનમાં કે કાઉસગ્ગ ધ્યાનમાં સમય ગાળે તો તેને બાહ્યક્રિયાની જરૂર ન પડે. આપ્તવચનનું રહસ્ય સમજે તો વિચાર થાય. રાત્રીજગા કરીને થાકે, રાત પડે નિદ્રાવશ, દિવસે નોતરાં મોકલવાની ધમાલ આમાં ધર્મ કયાં પ્રગટે? સામુદાયિક યશકીર્તિના લોભે જીવ કશું વિચારી શકતો નથી. આત્મદર્શન માટે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની પ્રકૃતિને દૂર કરવી પડે છે. આ પ્રકૃતિઓ મને કેમ દિશા ભૂલાવે છે તેનો તપ જેવા દિવસોમાં વારંવાર ઊહાપોહ કરવો જોઈએ. બાહ્ય આંતર સર્વ ક્રિયા મુક્તિ માટે હોવા છતાં મને બંધન શા માટે થાય છે ? ધર્મક્રિયાના દિવસોમાં પણ સારાં કપડાં પહેરી દેહ શોભાવ્યો. વાણીને રાગ રાગિણી સાંભળવા કે બોલવામાં જોડી. અને મનને તેની રુચિમાં રોકી, નિરંકુશ બનાવ્યું. પછી ધર્મ વડે સત્ત્વ કેમ પ્રગટે ? પ્રથમ મનોયોગને સ્થિર કરવાને બદલે શું કરું અને કેમ યશ મેળવું તેમાં રોકાઈ જવાનું કર્યું. અને વચન તથા કાયયોગની પાસે શ્રમ કરાવે આમાં આત્મસ્વરૂપ કયાં સમજાય ? આમ ત્રણે યોગની ચંચળતાને કારણે આત્મપ્રદેશમાં કંપન રહે છે, તે જ કર્મ બંધ છે. છઠ્ઠા સુધી આવી દશા રહે છે. શુભબંધ પણ બંધન છે. જિનદેવની ઉપાસના કરે, જિનદેવ થવાને બદલે ફક્ત દેવ જ કેમ થાય છે તેનો વિચાર કરવા જેવો છે. નામકર્મ મુખ્યત્વે ગતિ, જાતિ, શરીર, યશ, અપયશ જેવા પ્રકારો સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૧૫ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy