SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તે ગતિમાં આવરણો દૂર કરી ગતિમુક્ત થવાનું છે. આત્મશક્તિના પૂર્ણ ઉપયોગનો અહીં અવકાશ છે. તે સિવાય કોઈ દુર્લભતા નથી. કર્મને વશ થઈ પાપવૃત્તિ વધારવાની નથી. દ્રવ્યાદિની શુદ્ધિ રાખી રત્નત્રયની આરાધનામાં પ્રયત્નશીલ રહેવું. સુખ સાધનમાં પણ વિરક્તિ આવે સંસાર ટૂંકો થયે મહાન કષ્ટ વેઠે પણ સમ્યજ્ઞાન ન થયું તો નવ ત્રૈવેયક સુધી જઈ પાછો ફરે, ક્રિયાનો વિસામો લઈ સંસારમાં ભમે. ગોત્રકર્મ કરતાં પણ નામકર્મ જીવને મૂંઝવે છે. નામકર્મમાં આદેય નામકર્મ ઘણી ભૂલથાપ આપે છે. તેના શુભ ઉદયને કારણે લોકેષણામાં જીવ ચૂકી જાય છે. આદર માનની મધુરપ લાગે છે. ભણેલા અભણ સૌને માન પ્રિય છે. પોતાના દોષને જાણી શકતા નથી. ત્યાગ કરીને પણ માન મળે તો મીઠાશ અનુભવે. જયારે સ્વકાળ પરિપકવ થાય છે. ત્યારે જીવ ચમકે છે કે અહો, આ જીવે માનપાનમાં કેવો સમય ગુમાવ્યો ? બાહુબલિજીનું દૃષ્ટાંત સૌ જાણીએ છીએ. તેના વડે બોધ પામી માન મૂકી દેવું. ધર્મના વ્યવહાર કાર્યમાં માન મેળવવા મંત્ર, તંત્ર જેવી વિદ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે. નામકર્મની પ્રકૃતિ જીવનચર્યાનું મહત્ત્વનું અંગ છે. તેની વિષમતા કોઈક જ નિવારી શકે છે. માન મેળવવા ધર્મને નામે ઘણી માયા રચે છે. બાહ્ય ચારિત્ર અને જ્ઞાનનો ક્ષયોપશમ હોય પણ દર્શન શુદ્ધ ન હોવાથી જીવ આદેયનામ કર્મના ઉદયમાં ગૂંચાઈ જાય છે. અન્યના ઉપકાર માટે એવી પ્રવૃત્તિ કરે છે તેમ માને છે પણ પોતાના મનમાં પ્રસિદ્ધિની ઝંખના હોય છે. ચારિત્રનું કષ્ટ વેઠીને પણ જીવ આમ બંધનમાં ફસાય છે. યશ કીર્તિનામકર્મમાં જીવને એક પ્રકારની લાલસા હોય છે. યશમાં ક્ષેત્રનું મહત્ત્વ છે. કીર્તિમાં ક્રિયાનું મહત્ત્વ છે. આમ તો બંને સાથે રહેવાવાળા છે. વ્યવહાર ક્રિયા હો કે ધર્મની ક્રિયા હો સૌને યશ-કીર્તિ પ્રિય છે. કોઈ પ્રશંસા ન કરે તો પોતે પોતાની પ્રશંસા કરી લે છે. અને જે કર્યું હોય તેના કરતાં અનેકગણું વધારીને યશ મેળવવા પ્રયત્ન કરે. યશ ન મળે તો જીવને વ્યાકુળતા થાય છે. ધર્મકાર્યમાં વિવેક ગૌણ થઈ જાય છે અને યશ મેળવવા માટે બાહ્ય ક્રિયા પ્રધાન થાય છે. જ્ઞાન કરતાં નામનો પ્રચાર મુખ્ય બને છે. એક દેહને એક નામથી બોલાવાય છે છતાં તેની પ્રસિદ્ધિ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૧૩ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy