SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ન રાખતાં સતત જાગૃત રહેવું. બાળ વૃદ્ધ સૌને આદર ગમે છે. પણ તે પુણ્યથી જ મળે છે, માંગે મળતું નથી. ઉચ્ચકૂળ પામીને સદાચાર, ન્યાય, નીતિ એ ધર્મ માર્ગે જવાનાં પ્રાથમિક પગથિયાં છે પણ ધર્મ તેમાં સમાઈ જતો નથી. સદાચાર, ન્યાય, નીતિ સાથે ધર્મનો મુકાબલો ન થાય. બંનેનાં પરિણામ વિપરીત છે. ખૂન કરનારને ન્યાયાધીશ ન્યાયના ધર્મે ફાંસી આપે, તે ધર્મ નથી જાય છે. અને જ્ઞાની સમતાથી ગુનેગારને પણ બોધ આપે. હિંસામાંથી અહિંસામાં લઈ જાય તે ધર્મ છે. જ્ઞાનીના ન્યાયે આખું જગત જીવોથી ખદબદી રહ્યું છે. એક શ્વાસ લેવામાં હિંસા છે. એ જાણવામાં કયું જ્ઞાન કામ લાગે? માટે સદુપયોગ રાખવો જેથી સૂક્ષમ હિંસાથી સહજ બચી જવાય, એક સત્યને પૂર્ણપણે પાળવાથી તેમાં ચાર વ્રતોનો સમાવેશ થાય છે. કોઈપણ જીવને દુભવવો તે ત્રણે યોગની અસત્ ક્રિયા છે. અસત્ય બોલવું, કહેવું કે વિચારવું તે અસત્ય છે. પરિગ્રહાદિની બુદ્ધિ તે અસત્ય અને ચૌર્ય છે. ક્રિયાનું પુનરાવર્તન એ સંસાર છે. સંસાર ટૂંકો હોય તેની ક્રિયા ઘટતી જાય. કેવળ દેખાવ માટે કે માન મેળવવા ક્રિયા ન થાય. માન મેળવવા થતી ક્રિયા સ્વ-પર હાનિરૂપ છે. બાળક હસી કે રડીને માન મેળવવા ઈચ્છે. યુવાન શક્તિના જોરે માન મેળવે. વૃધ્ધો પોતાની સત્તા દ્વારા માન ઈચ્છે. આમ જુદી જુદી અવસ્થાએ સૌને માન જોઈએ છે. જ્ઞાની કહે છે કે માન મૂક તો મોક્ષ અહીં છે. થોડું જ્ઞાન પ્રાપ્ત થયું કે જ્ઞાની થવાની આકાંક્ષા જન્મે. જ્ઞાનનો ક્ષયોપશમ હોય તો ય તે અપૂર્ણ છે. કેવળજ્ઞાનીનું જ્ઞાન કેટલું? અને આડંબર ખરો? આકાંક્ષા નથી છતાં આયનામકર્મના ઉદયે આદર સહજ પ્રાપ્ત થાય છે. તેમાં સ્વાર કલ્યાણ થાય છે. કોઈને બંધન થતું નથી. ક્ષયોપશમવાળો માન ઈચ્છે, માન મળે, અહીં આપનાર લેનાર બંનેમાં રાગ હોવાથી દષ્ટિરાગ વડે બંધન થાય. વ્યવહાર અને ધર્મ બંનેમાં માનાદિથી જીવે જાગૃત રહેવાનું છે. મનુષ્યપણું દસ દેખાતે દોહલું કહ્યું છે. છતાં મનુષ્ય તો સ્વચ્છંદપણે જીવતો જણાય છે. બંધનપ્રિય આત્માને મનુષ્યની ગતિ ઉત્તમ છે એમ સમજાવ્યું તે પ્રથમ ભૂમિકા છે. એ ગતિ ઉત્તમ હોય કે ગોત્ર ઉંચુ તો ૨૧૨ Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy