SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ થવાનું છે. એવા ઉત્તમ આચારવાળા ગૃહસ્થો સાધુ સમાન ગણાતા. તેમનું જીવન મૂક ઉપદેશ આપી જતું. ભોગનાં સાધન છતાં સંયમ, સંતોષનું જીવનમાં પ્રાધાન્ય હતું. તેમનું જીવન અન્યને માટે પ્રેરણારૂપ બનતું. ધર્મી કહેવડાવવાનો મોહ છૂટે સાચું ધર્મપણું પ્રગટે. આત્મા મોહવશ થાય છે. ત્યારે વેદનીયાદિ અઘાતી કર્મપ્રકૃતિ ઘાતીકર્મ જેવી ગાઢ બંધાય છે. આથી નામ ગોત્ર કે વેદનીય કર્મથી ઘેરાઈ જાય છે. અશુભ પ્રકૃતિને સુધારવાનું જીવનું સામર્થ્ય છે. પરંતુ આત્મા કર્મવશ પડયો કે ઉદયકાળે વિવેક રહેતો નથી. ધીરજ રહેતી નથી જેવું કર્મ તેવી સામે પ્રતિક્રિયા કરી, કર્મને વધુ અશુભ કરે છે. સહન તો કરે છે, કર્મ તો ભોગવે છે પણ વિવેક ચૂકી જવાથી વધુ દુ:ખનું ભાજન બને છે. મુક્તિની ઈચ્છા શબ્દ સુધી હોવાથી પુરુષાર્થ થતો નથી. રોગાદિ, ભોગાદિ કે કષાયાદિના ઉદય સમયે તેનાથી ભાગી છૂટવા ગમે તેવા પ્રકારો યોજી છૂટવાને બદલે બંધાય છે. એની એને સમજ નથી. એટલે ધર્મની ક્રિયા કરે પણ જ્ઞાનને પાછળ મૂકી દે છે. જયારે જ્ઞાનીઓએ એમ કહ્યું કે “પ્રથમ જ્ઞાન પછી ક્રિયા' જીવ અનંતકાળથી અજ્ઞાનવશ શુભાશુભના ઝુલે ઝુલી રહ્યો છે. ક્રિયા કરવાની શક્તિ છે તેવી જ્ઞાન અને ધ્યાનની શક્તિ છે અનાભ્યાસે તેનું વિસ્મરણ થયું છે. ક્રિયા ન નુિં દુઃખ માને પણ અજ્ઞાનનું દુઃખ ન માને. આ પંચમકાળ છે દુઃષમકાળ છે, જીવને જાગ્રત રહેવા અને અધોગતિમાં જતાં ચેતાવવા માટે જ્ઞાનીઓએ ઉપદેશ આપ્યો છે. મોહાંધ થઈ જીવ પુરુષાર્થ જ ન કરે તો ચોથા કાળે રખડયો તેમ હજી રખડવાનું રહેશે. મહા ધુરંધર હેમચંદ્રાચાર્ય આ કાળે કલિકાલસર્વજ્ઞ કહેવાયા. તેમણે પંચમકાળે કાર્યસિદ્ધ કર્યું. કુમારપાળને જૈનધર્મ પમાડી મુક્તિનું રહસ્ય આપ્યું. તેમ કરવામાં તેમણે તે કાળના પરિબળે કેટલાંક વ્યવહારકાર્યો કરવાં પડયાં. અને જૈન શાસનના તત્ત્વને ટકાવી રાખ્યું. આજે તેવા સમર્થ આચાર્યોની શાસનને મોટી ખોટ છે. માનવે મોહમાં પડીને પુણ્ય-સુખ પ્રત્યે રુચિ રાખી છે તેવી મુક્તિ પ્રત્યે કેળવી નથી. મોક્ષ શબ્દથી બોલે પણ એક ક્ષણ માટે મોહસુખ છોડવા તૈયાર નથી. તેમાંય કોઈ સ્થળે તો મોહમાં પણ વિકાર મેળવ્યો સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૦૯ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy