SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ હોતો નથી. તેનું અંતરંગ મુક્તિ માર્ગ પ્રત્યે વળેલું હોય છે. ઉચ્ચગોત્રનો અહંકાર નીચગોત્રના કર્મ તરફ ખેંચી જાય છે. ઉચ્ચ ગોત્ર એ જોખમદારીનું સાધન છે. અજ્ઞાન આવ્યું કે ગોત્રનો અહંકાર પ્રદીપ્ત થાય છે. ઉચ્ચગોત્ર પામી મિથ્યાત્વી પુણ્યપ્રાપ્તિની ઘણી ક્રિયા કરે છે. પરંતુ મૂળમાર્ગે આગળ વધાતું નથી. સાધન સંપત્તિ વડે ઉચ્ચ ગોત્રી કહેવાય નહીં. સંસ્કારનો ઉચ્ચગોત્ર સાથે સંબંધ છે. જાતિ પ્રમાણે ઉચ્ચતા આપવી તે કૃત્રિમ છે. તેમાંથી અસ્પૃશ્યતા જેવા પ્રશ્નો ઉપસ્થિત થયા, આજે તેના માટે મંદિર પ્રવેશ વગેરેનો ઉપાય છે તે અપૂર્ણ છે. તેમાં જાતિભેદ અને જાતિમદ વધ્યા. ધર્મનો અધિકારી ઉચ્ચગોત્રવાળો થાય તે એકાંત છે. ઉચ્ચગુણવાળો ઉચગોત્રી છે. ઉચગોત્ર મળે અને સંસ્કારશુદ્ધિ કરે તો તે ધર્મનો અધિકારી છે. કર્મશત્રુને જીતવા ઘણા સામર્થ્યની જરૂર હોવાથી તે માટે ક્ષત્રિયકુળને ઉચ્ચતા આપી. જૈનધર્મના તીર્થકરોનો જન્મ ક્ષત્રિયકુળમાં થાય છે. જ્ઞાનારાધનમાં બ્રાહ્મણને ઉચ્ચસ્થાન મળ્યું છે, તે ભક્ષાવૃત્તિને કારણે નીચું કુળ ગયું છે. છતાં તે કુળમાં આત્મજ્ઞાન દ્વારા ઉચ્ચ આત્માઓએ ઉત્તમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેન એ કોઈ જાતિ નથી. શુદ્ધકર્મ માર્ગનું સ્થાન છે. બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ સમાઈ ગયો, જનસમુદાય જ્ઞાનનો શુદ્ધમાર્ગ છોડી ક્રિયામાર્ગમાં પ્રવૃત્ત થયો. એવા પ્રવૃત્તિશીલ ધર્મમાં જેન આચાર્યોએ ખૂબ ફાળો આપ્યો છે, તેમાં જૈનશાસનનું હિત મનાયું. પાછળથી જૈનધર્મને એક જાતિના કુંડાળામાં આવરી લીધો. ઉત્તમ કુળનું મૂલ્ય ધર્મ આરાધન અર્થે જ છે. તેને બદલે દાનાદિથી માનને અર્થે થાય તો તે અજ્ઞાન છે. ઉત્તમ સંસ્કારમય પુરુષાર્થ જ આત્માનું ઉત્થાન કરે છે, તે ઉચ્ચકુળવાળો જ કરી શકે અને નીચ કુળવાળો ન જ કરી શકે તેવો એકાંત નથી. ઉચ્ચકુળ માન-મદ માટે ઉચ્ચ કહેવાયું નથી. ધર્મ પામવાનું તે એક નિમિત્ત છે. ખાસ કરીને જૈન અને બ્રાહ્મણ પોતાના કુળને ઉત્તમ માને છે. કોઈ જાતિએ કે વ્યક્તિએ કોઈને ઊંચા નીચા માનવા તે દોષ છે. ધર્મ, વિવેક અને સંસ્કાર વડે ઉચ્ચ ગોત્રનું મૂલ્યાંકન થાય. ઉંચ ગોત્ર મળવા છતાં કુળમદથી મરીચિ કરોડો વર્ષ સંસારમાં ભમ્યો. આજે સંત સંન્યાસી સૌ માનના મદમાં પડયા છે. આઠે પ્રકારના મદ ત્યાજય છે. મદ નશા જેવો છે. એકવાર માન સત્કારની ૨૦૬ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy