SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્રામાં કોશા વેશ્યા મટી શ્રાવિકા બની. જ્ઞાનગુરુએ સ્થૂલિભદ્રને બિરદાવ્યા અને તેમના સંયમને “દુષ્કર દુષ્કર” કહ્યું. બીજા શિષ્યો આ રહસ્ય સમજી ન શકયા. અજ્ઞાનવશ સ્પર્ધા, ઈર્ષા જામી અને ગુરુજી પાસે આદેશ માંગી એક શિષ્ય કોશાને ત્યાં ઉપડયા. કોશા તો હવે શુદ્ધ શ્રાવિકા હતી. સાધુના પગલાથી જ પ્રયોજન પામી ગઈ. અને સાધુ જે ગુમાનથી આવ્યા હતા તે તો કોશાની સામે કેવળ જોવાથી જ સરી પડ્યું અને ભોગની વાસના બળ ક્રી ગઈ. કોશાના વિચક્ષણ બોધ દ્વારા સાધુ ઊગરી ગયા. સાધુ પાસે બાહ્ય સંયમ હતો. અને બોધ મળતાં પાછો ભાવ સંયમને સંભાળી લીધો. આમ મોહનીય ભૂલથાવ આપી દે છે. મોહનીયની બળવત્તરતા કેવી છે? સ્થૂલિભદ્રએ દુષ્કર કાર્ય કર્યું, અને જ્ઞાન આગળ કુતૂહલવશ ઝૂકી ગયા. સિંહનું રૂપ ધરી બેઠા બે પાંચ મિનિટનું આવું કુતૂહલ જ્ઞાનને અંતરાયરૂપ થયું. સત્તામાં પડેલાં કર્મો આત્મ જાગૃતિની જરા જેવી અસાવધાનીથી ઉદયમાં આવી જીવને પાછો ધકેલી દે છે. માટે જયાં સુધી પૂર્ણજ્ઞાનદશા, શુદ્ધિ પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાની ગુરુનું શરણ જ તારણ છે. ગોત્રકર્મ આ કર્મના ઉચ્ચ અને નીચે એમ બે ભેદ છે. આ કર્મ સાતમું છે. ગોત્ર કર્મ કુંભારના કાર્ય જેવું છે. કુંભાર ઘડા, કલશ જેવાં પાત્રો બનાવે કોઈ પાત્રમાં મદિરા ભરાય તેવા અને કોઈ પાત્ર ચંદન, અક્ષત જેવા ઉત્તમ પદાર્થો ભરાય તેવા બનાવે. તે પ્રમાણે જીવ ઉચ્ચ ગોત્રનું કે નીચ ગોત્રનું કર્મ બાંધે છે. જે કર્મના ઉદયથી જીવ નિર્ધન, કુરૂપવાળો, કુસંસ્કારકુળમાં જન્મે તે નીચ ગોત્ર કહેવાય. જે કર્મના ઉદયથી જીવ ધનવાન, રૂપવાન, ઉચ્ચ સંસ્કારવાળા કુળમાં જન્મે તે ઉચ્ચગોત્ર કહેવાય. છતાં સંયમ જેવા ધર્મની પ્રાપ્તિ થતાં ગોત્રકર્મ ગૌણ બને છે. ઉચ્ચ ગોત્ર પામવાનો હેતુ ધર્મને ઉપયોગી એવા સાધન સંપત્તિની પ્રાપ્તિ હોય. ઉચ્ચ ગોવાળો સંપત્તિ મળે બાહ્ય સુખભોગમાં પડે તો મિથ્યાત્વમાં જાય અને ઉચ્ચગોત્ર મેળવીને પણ કંઈ સાર્થક ન થાય. ઉચ્ચ ગોત્ર પામનારને બાહ્ય સાધન સંપત્તિ હોય છે પણ તે નિરહંકારી હોય છે. વિષયાનંદી સ્વરૂપ અવલોકન ૨૦૫ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy