SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે યોજે છે. આ ઈદ્રિયજન્ય પ્રિયતા છે. તેના વડે થાય કર્મ અને માને ધર્મ. આવી ભુલ ભુલામણી ચાલી રહી છે. જેની પૂજા કરી ગુણગાન ગાઈ કર્મ હળવાં કરવાનાં છે, તે જ સ્થાનમાં જીવ વિવેક ભૂલી જાય છે. રાત્રિ એ એકાંતમાં જિનભાવમાં લીન થવાને બદલે એ સ્થાનોને વાજિંત્રના નાદથી ધમધમાવે છે. મોહનીયને મંદ કરવાને બદલે મોહમાં પડે છે. નામકર્મની પ્રકૃતિનો હેતુ કેવળ આત્મલક્ષે શુભપરિણામ જાણવો. જો તે ઈદ્રિય-જન્ય હશે તો ઈદ્રિયસુખ મેળવીને પણ દુઃખ જ ઊભું થશે. શરીર મુક્તિનું સાધન બને તે ધ્યેય ન ચૂકવું. કોઈનો સુસ્વર જોઈ જીવને એમ થાય કે મને આવો કંઠ મળે તો કેવું સારું? લોકોમાં સારું લાગે. આમ જીવ મોહમાં પડે છે. સંસારમાં રહે તો શ્રાવક મુમુક્ષુ સાધુતાનું લક્ષ રાખે તો ચારિત્ર આવરણ-કષાય મંદ રહે. અને ક્રમે કરી કર્મ મોળાં પડી જઈ આત્માર્થ પ્રગટ થતો રહે. મોહનીયકર્મના જોરે થોડી શિથિલતા આવે તો પણ ત્રણે યોગ જોર કરી ન જાય. એકાદ યોગને આવરણ આવે અને બીજા યોગમાં સાવધાની રહે. સંસારી જીવને શરીર સારું રહે અને મળે તેવી વાસના રહ્યા કરે, વાણીનો વિલાસ ચાલ્યા કરે. માનસિક વૃત્તિઓ તો અસંખ્ય ઊઠે. શ્રાવકને મન-અંતરમાં આવા વિકાર ઊઠે ત્યારે સમાવવાની તાકાત કેળવવાની છે. સાધુમાં પ્રાયઃ હોય. વ્રત નિયમ સંયમ વગેરે બાહ્યાચાર શ્રાવકને રક્ષણરૂપ છે. તપેલા લોઢાને જેમ ઘાટ આપવો હોય તેમ આપી શકાય, તેમ વ્રતાદિથી શુદ્ધ થયેલા શ્રાવકને સાધુતા સહજ બને છે. શરીરને વિકૃત આહારથી બચાવવું જોઈએ. વાણીનો મર્યાદિત સત્ય અને મિત ઉપયોગ કરવો. મનની વિશુદ્ધિ કેળવવી. આ ત્રણે યોગના વિકારોથી બચવું દુષ્કર છે. છતાં યૂલિભદ્રનો ઉત્તમ આદર્શ આપણને મળેલો છે. જે કોશાને ત્યાં બાર વર્ષ સુધી સર્વ પ્રકારના ભોગ ભોગવ્યા છે તે કોશાને ત્યાં સ્થૂલિભદ્ર ચાતુર્માસ રહે છે. ગુરુકૃપાએ ત્રણે યોગની શુદ્ધિ કેવી પ્રખર છે. કોશાએ તેમને રીઝવવા શું નહીં કર્યું હોય? છતાં સ્થૂલિભદ્રના એક રોમમાં કિંચિતમાત્ર ભોગનો રોગ પ્રવેશ પામી ન શકયો. ભૂતકાળનું એક સ્મરણ ઉપસી ના આવ્યું. કેવળ આત્મભાવની શુદ્ધતા, પરમ વૈરાગ્યદશાનો આવિર્ભાવ ત્યાં પ્રગટ થયો. આવા પવિત્ર આત્માની ૨૦૪ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy