SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વે જીવો સમવસરણમાં જઈને પણ ધર્મ પામ્યા નથી. બોધ : જગત આજે પોતાનાં કર્મોના અશુભ પરિણામોથી ભાગી છૂટવા પ્રયત્ન કરે છે. તેને જ્ઞાન માને છે. શરીરનું બળ વધારવા, વધુ જીવવા માટે ઔષધોનાં સંશોધનો થાય છે. મહા હિંસા વડે આ વસ્તુઓ શોધાય છે. તે જ્ઞાન કહેવાય કે અજ્ઞાન ? મતિજ્ઞાનની તરતમતા ખરી પણ તેને જ્ઞાનીઓએ કુમતિ કહી. જે જ્ઞાન વડે અન્ય જીવો દુ:ખ પામે તે શ્રુત હોઈ ન શકે, કુશ્રુત હોઈ શકે. ન ત્રસકાયમાં મનુષ્યદેહે આત્મા મુક્તિ સાધી શકે છે. તેમ ન બને તો ત્રસપણાનો શો ઉપયોગ છે ? સ્વતંત્ર રહી પરમપદ આરાધવા માટે સંજ્ઞીપણું છે. સંસારમાં ત્રસનામકર્મની ઉપયોગિતા છે. જેમ સાધન સારા તેમ મોહનીય વધુ જોર કરે અને પરવસ્તુમાં પોતાપણાનો ભાવ રાખી ભોગવૃત્તિમાં પડી જાય તો તે સુખાભાસ, અંતે તો દુઃખરૂપ જ નીવડવાના. તેથી ધર્મજીવ માટે ત્રણે યોગનો સંયમ અને ત્યાગ તથા નિરોધ બતાવ્યા. સાથે તપ સ્વાધ્યાય બતાવ્યા. કોઈપણ કર્મ તેની પ્રકૃતિ સાથે જ ઉદયમાં આવે. વિભાવ પરિણામથી આત્મા તેનો કર્તા થઈને રહે છે, અને બીજા વિપરીત રસો ભળવાથી કર્મની પરંપરા સરજાય છે. અને જીવ સંસારી જ રહે છે. ખરેખર તો આત્માનું સ્થાન સંસાર નથી પણ સિદ્ધાચલ છે. અને ત્યાં પહોંચવા માટે માનવદેહ મળ્યો છે. આ કાળે શુદ્ધ મતિ-શ્રુતજ્ઞાનને આરાધે તો સુખ પામે અને ભય વગેરે મંદ પડે. સામાન્ય રીતે દરેક જીવ કંઈને કંઈ ભયમાં જીવે છે. મનવાળા સંજ્ઞી જીવો ભયને શબ્દ દ્વારા વ્યકત કરે છે, તેના પર વિચાર કરી શકે છે તેનામાં મતિ-શ્રુતનો ઉપયોગ છે. અસંશી જીવો સંજ્ઞાથી પોતાનું રક્ષણ શોધી લે છે. પણ સમકિતી આત્મા ચેતનનો અવિનાશી ગુણ જાણે છે તેથી ભય પામી મૂંઝાતો નથી. ભય પામવાનું મૂળ કારણ જ દૂર કરે છે. અને કદાચ શંકા થાય તો ય તે ગુણરૂપ હોય છે. શંકા દ્વારા દોષનું નિરીક્ષણ કરે છે. મિથ્યાત્વી શંકા કરીને દોષમાં પડે છે. જેમકે દોરડીને સર્પ ગણે, પછી ખબર પડે તો ય એમજ વિચારે કે સર્પ હોત અને પગ પડયો હોત તો શું થાત ? સમક્તિી એમ વિચારે દોરડીમાં સર્પની શંકા થઈ તે ખોટી હતી. ધર્મક્રિયા એ દોડધામ માટે નથી. જીવના અધ્યવસાયોના પરિવર્તન સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૦૧ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy