SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ક્રિયા છે. કર્મક્રિયાથી પર થવું તે ધર્મ છે. કર્મની હેરફેર જ થયા કરે અને નવી આકાંક્ષાઓ વધે તે ધર્મ નથી. આત્મા અક્રિયાવાન છે. પણ વિભાવદશા તેની પાસે કેટલી ક્રિયા કરાવે છે? શ્વાસોશ્વાસ ચાલે છે ત્યાં સુધી ક્રિયા રહેવાની. સંસારી જીવે અશુભ ક્રિયાનો ક્રમ તોડવાનો છે. જ્ઞાનીના યોગો અને આત્મપ્રદેશો અત્યંત સ્થિર હોવાથી ક્રિયા કર્મરૂપ થતી નથી. એક શરીર સારું રાખવા જીવ કેટલી ચિંતા કરે છે છતાં તે રહેતું નથી. કેટલાક વ્રત, તપ કરી શરીર ગાળી નાંખે. જે શરીર મળે તે આત્મહિત માટે છે, તેમાં વૃત્તિનો ફેરફાર કરવાનો છે. ઉદયકર્મથી છૂટવાની રીતિ શોધવી. કોઈપણ પ્રકૃતિબંધ આત્મલાભકારી નથી, પ્રકૃતિનો અસંગ કલ્યાણરૂપ છે. સત્તામાં પડેલાં કર્મો અગિયાર ગુણસ્થાન સુધી ભયરૂપ છે. જીવ આઠમેથી ઊર્ધ્વશ્રેણિએ ચઢયો તો ઘાતી પ્રકૃતિઓ વિખરાઈ જવા માંડે છે, અને બાર, તેર ગુણસ્થાને પહોંચી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. ચૌદમું ગુણસ્થાન પ્રગટ થઈ આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધદશા પ્રાપ્ત કરે છે. શરીર પ્રાપ્તિ જડતારૂપ છે. વાણી વડે રાચીએ છીએ તે વાણી જડ છે. વિચાર તેનાથી પણ વેગવાન છે. શરીરથી કે વચનથી ન ભોગવે તેટલું જીવ વિચાર વડે ભોગવે છે. વિચારમાં કંઈ લાજ નહિ કે દાઝ નહિ પણ કર્મવર્ગણા એવી વિચિત્ર છે કે વિચારથી જ ચોંટી પડે છે. માટે વિચારવાન જીવે પ્રકૃતિનું સંશોધન કરવાનું છે. કર્મવિપાકના ઉદયકાળે જીવે જાગૃત રહેવાનું છે. તો ચપળતા, ભય વગેરે ઓછા થાય. કર્મપ્રકૃતિ અનંત અને જીવના વિકલ્પો, ક્રિયાઓ અનંત, તે સર્વનિયમબદ્ધ થાય તો ક્રિયા સપ્રમાણ થાય કેવળ પુગલોનું ગ્રહણ થવું તે જડતા છે. તીર્થકરને અતિશય પુણ્યબળે શરીરના એક હજારને આઠ લક્ષણ હોય છે. સામાન્ય પૂર્ણ અવયવવાળા શરીરને બત્રીસ લક્ષણવાળો કહેવામાં આવે છે. તે નામકર્મની પ્રકૃતિ છે. જ્ઞાન વડે આ પ્રકૃતિનો સદુપયોગ થાય. બંધન અને મુક્તિ માટે જીવ સ્વતંત્ર છે. આત્માનું જ્ઞાન હાલ અદેશ્ય થયું છે તે કેમ પ્રગટે ? દેહના સાધન વડે, મનાદિયોગ વડે સંયમ સાધી જ્ઞાનગુણ પ્રગટ કરવાનો છે. દેહમાં પુરાયેલા આત્માને અજ્ઞાનવશ સ્પૃહાઓ થાય છે. આત્મા સર્વથી પર હોવા છતાં કેમ બંધાયો ? પ્રતિક્રમણ જેવી ક્રિયા કરી પાપથી મુક્ત કેમ ન થયો? બાહ્ય ક્રિયાની આશાતનાનો ભય ૨૦૨ Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy